કચ્છના ભૂકંપ જેવા જ આવેલા ધરતીકંપથી કોલંબિયામાં 1,600થી વધુ ઇમારતો ધરાશાયી, 7000ની વસ્તી ધરાવતુ એલ કૈરો શહેર તબાહ, મૃત્યુઆંક 254 પર પહોંચ્યો, ત્રણ હજાર લોકો ગુમ

ગત સોમવારે લેટિન અમેરિકન દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે 7,000 ની વસ્તી ધરાવતું એલ કૈરો શહેર તબાહ થઈ ચૂક્યું છે. ભૂકંપને પગલે અત્યાર સુધીમાં 254 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે અને 600 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનતા, મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે, કચ્છના ભૂકંપની જેમ જ ઈમારતોના કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા-દબાયેલા છે.

| Updated on: Aug 12, 2026 | 10:04 AM
1 / 10
ગયા સોમવારને 10મી ઓગસ્ટના રોજ, લેટિન અમેરિકન દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 254 લોકોના મોત થયા છે. 600 થી વધુ ઘાયલ થયા.

ગયા સોમવારને 10મી ઓગસ્ટના રોજ, લેટિન અમેરિકન દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 254 લોકોના મોત થયા છે. 600 થી વધુ ઘાયલ થયા.

2 / 10
ગુજરાતના કચ્છમાં 2001માં આવેલ વિનાશક ભૂંકપની જેમ જ કોલંબિયામાં ઠરે ઠેર પડેલ ઈમારતોના કાટમાળમાં અનેક લોકો ફસાયેલા અથવા તો દબાયેલા હોવાની સંભાવના છે.  જ્યા સુધી બચાવ અને રાહત કામગીરી પૂર્ણ ના થાય ત્યા સુધી સાચો મૃત્યુઆંક સામે આવતા સમય લાગશે. જો કે, જેમ જેમ બચાવ કામગીરી ઝડપી બનતી જાય છે, તેમ તેમ મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતો રહેશે.

ગુજરાતના કચ્છમાં 2001માં આવેલ વિનાશક ભૂંકપની જેમ જ કોલંબિયામાં ઠરે ઠેર પડેલ ઈમારતોના કાટમાળમાં અનેક લોકો ફસાયેલા અથવા તો દબાયેલા હોવાની સંભાવના છે. જ્યા સુધી બચાવ અને રાહત કામગીરી પૂર્ણ ના થાય ત્યા સુધી સાચો મૃત્યુઆંક સામે આવતા સમય લાગશે. જો કે, જેમ જેમ બચાવ કામગીરી ઝડપી બનતી જાય છે, તેમ તેમ મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થતો રહેશે.

3 / 10
સમગ્ર કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપને કારણે, આશરે 1,600 જેટલી ઇમારતો ધરાશાયી થઈ છે અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ છે. ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં 3,000 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.

સમગ્ર કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપને કારણે, આશરે 1,600 જેટલી ઇમારતો ધરાશાયી થઈ છે અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ છે. ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં 3,000 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.

4 / 10
ભારતના વિદેશ પ્રધાન, એસ. જયશંકરે, કોલંબિયાના વિદેશ પ્રધાન ઓમર બુલા એસ્કોબારને મોકલેલા સંદેશમાં ભૂકંપથી થયેલા જાનમાલના નુકસાન પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. એસ. જયશંકરે ભારત તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

ભારતના વિદેશ પ્રધાન, એસ. જયશંકરે, કોલંબિયાના વિદેશ પ્રધાન ઓમર બુલા એસ્કોબારને મોકલેલા સંદેશમાં ભૂકંપથી થયેલા જાનમાલના નુકસાન પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. એસ. જયશંકરે ભારત તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

5 / 10
કોલંબિયામાં આવેલા 7.4ની તિવ્રતાના ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં કાલી, પેરેરા, ચોકો અને મનીઝાલેસનો સમાવેશ થાય છે. બે મિલિયનથી વધુ વસ્તી ધરાવતા કાલી શહેરમાં લગભગ 100 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે પરેરામાં સૌથી વધુ 101 લોકો મૃત્યુ પામ્યા છે.

કોલંબિયામાં આવેલા 7.4ની તિવ્રતાના ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં કાલી, પેરેરા, ચોકો અને મનીઝાલેસનો સમાવેશ થાય છે. બે મિલિયનથી વધુ વસ્તી ધરાવતા કાલી શહેરમાં લગભગ 100 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે પરેરામાં સૌથી વધુ 101 લોકો મૃત્યુ પામ્યા છે.

6 / 10
કાલીમાં ચાલીસ ઇમારતો ધરાશાયી થઈ, અને પરેરામાં 58 ઇમારતો ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. તેવી જ રીતે, 7,000 ની વસ્તી ધરાવતું એલ કૈરો શહેર લગભગ તબાહ થઈ ગયું છે.

કાલીમાં ચાલીસ ઇમારતો ધરાશાયી થઈ, અને પરેરામાં 58 ઇમારતો ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. તેવી જ રીતે, 7,000 ની વસ્તી ધરાવતું એલ કૈરો શહેર લગભગ તબાહ થઈ ગયું છે.

7 / 10
ત્યાંના 80 ટકા બાંધકામો ધરાશાયી થઈ ગયા છે, અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલોને કારણે બચાવ ટીમો ઘણા વિસ્તારોમાં પહોંચી શકતી નથી.

ત્યાંના 80 ટકા બાંધકામો ધરાશાયી થઈ ગયા છે, અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલોને કારણે બચાવ ટીમો ઘણા વિસ્તારોમાં પહોંચી શકતી નથી.

8 / 10
 આપત્તિમાં બચી ગયેલા લોકો મર્યાદિત સંસાધનો અને તેમના ખાલી હાથનો ઉપયોગ કરીને કાટમાળ સાફ કરતી વખતે ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. કોલંબિયા દેશના રાષ્ટ્રપતિ, એબેલાર્ડો ડે લા એસ્પ્રિએલા, સોમવારે રાત્રે ભૂકંપથી પ્રભાવિત ચોકો પ્રાંતની રાજધાની ક્વિબ્ડો પહોંચ્યા.

આપત્તિમાં બચી ગયેલા લોકો મર્યાદિત સંસાધનો અને તેમના ખાલી હાથનો ઉપયોગ કરીને કાટમાળ સાફ કરતી વખતે ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. કોલંબિયા દેશના રાષ્ટ્રપતિ, એબેલાર્ડો ડે લા એસ્પ્રિએલા, સોમવારે રાત્રે ભૂકંપથી પ્રભાવિત ચોકો પ્રાંતની રાજધાની ક્વિબ્ડો પહોંચ્યા.

9 / 10
ત્યાં રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી, તેમણે જણાવ્યું કે કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે તમામ સેના અને પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર સરકારી તંત્ર રાહત અને બચાવ પ્રયાસોમાં રોકાયેલું છે.

ત્યાં રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યા પછી, તેમણે જણાવ્યું કે કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે તમામ સેના અને પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર સરકારી તંત્ર રાહત અને બચાવ પ્રયાસોમાં રોકાયેલું છે.

10 / 10
નોંધનીય છે કે એસ્પ્રિએલાએ ગયા શુક્રવારે જ કોલંબિયાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સે કોલંબિયાને કામચલાઉ રહેઠાણ, ખાદ્ય પુરવઠો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે $15.5 મિલિયનની સહાયની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે એસ્પ્રિએલાએ ગયા શુક્રવારે જ કોલંબિયાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સે કોલંબિયાને કામચલાઉ રહેઠાણ, ખાદ્ય પુરવઠો, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે $15.5 મિલિયનની સહાયની જાહેરાત કરી છે.

Published On - 10:00 am, Wed, 12 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.