Vijayadashami : ક્યાંક રિમોટ તો ક્યાંક મોબાઈલથી થશે દશાનનનો અંત! તસ્વીરોમાં જૂઓ ઉત્સવની તૈયારી
Vijayadashami : શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.
1 / 5
દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેશભરમાં અનેક જગ્યાએ લોકો રાવણના પૂતળા બનાવીને રાવણનું દહન કરે છે. આ ડેમો તસવીર દિલ્હીના લાલ કિલ્લાની છે.
2 / 5
શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં આ દિવસે, ભગવાન શ્રી રામ દ્વારા દશાનનના દુષ્ટ સ્વરૂપનો અંત આવ્યો હતો, તેથી આ દિવસને દશેરા અથવા વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. આ તસવીર હૈદરાબાદની છે.
3 / 5
નવરાત્રીના 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. નવરાત્રિ પછી દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અનેક જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે.
4 / 5
આ તસવીર દિલ્હીના લાલ કિલ્લાના મેદાનની છે. તસ્વીરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા નજરે પડે છે. લવ-કુશ રામલીલા સમિતિએ દશેરાનો તહેવાર ભવ્ય રીતે ઉજવ્યો.
5 / 5
આ તસવીર જલંધરની છે. દશેરાના તહેવારની ઉજવણી માટે અહીંના એક પાર્કમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા લગાવવામાં આવ્યા છે. ક્યાંક રિમોટથી તો ક્યાંક મોબાઈલથી આ પુતળાને સળગાવવામાં આવશે.