TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 04, 2022 | 10:14 PM
દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.
શીરો - તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.
ખીર - તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.
માલપુઆ - તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.
શ્રીખંડ - તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.