
ગરમ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ છે. તે પરસેવા અને પેશાબ દ્વારા ઝેરી તત્વોને દૂર કરીને શરીરને ડિટોક્સિફાય કરે છે.

જો તમને શરદી કે ગળામાં ખરાશ હોય તો ગરમ પાણી પીવાથી ગળાને આરામ મળે છે અને કફને ઓછો કરવામાં પણ મદદ મળે છે. તે શિયાળાની ઋતુમાં થતા ચેપથી રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.

હુંફાળું પાણી પીવાથી શરીરના સ્નાયુઓને આરામ મળે છે અને માથાનો દુખાવો, તાણ અને અન્ય શારીરિક પીડાને પણ ઓછો કરવામાં મદદ મળે છે.

સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ છે.

જમ્યાના 30 મિનિટ પહેલા અને 30 મિનિટ પછી નવશેકું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટનો દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે.

સામાન્ય રીતે દિવસમાં 2-3 વખત નવશેકું પાણી પીવું ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન વ્યક્તિની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્યને અનુરૂપ હોવું જોઈએ.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.