
તજ- મસાલામાં વપરાતી તજ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ખાંડમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવા માટે તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. તજ કોલેસ્ટ્રોલ અને ચરબી પણ ઘટાડે છે. 1 ચમચી તજમાં અડધી ચમચી મેથી પાવડર અને 1 ચપટી હળદર ભેળવીને ખાલી પેટ પીવો. તેનાથી તમારી વધેલી બ્લડ સુગર ઘટશે. જો તમે ઈચ્છો તો તેમાં તજની સ્ટીક ઉમેરીને હર્બલ ટી પણ પી શકો છો.(ફોટો ક્રેડિટ-getty image)

કાળી મરી- કાળા મરીનો ઉપયોગ આયુર્વેદમાં શરદી ઉધરસની દવા તરીકે કરવામાં આવે છે, પરંતુ કાળા મરી સુગરને કંટ્રોલ કરવામાં પણ કારગર સાબિત થાય છે. કાળા મરીનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે. કાળા મરીમાં પિપરીન નામનું ઘટક જોવા મળે છે. જેના કારણે શુગર કંટ્રોલમાં રહે છે. તેના માટે 1 ચમચી કાળા મરીનો પાઉડર અને થોડી હળદર ભેળવીને રાત્રે તેનું સેવન કરવાથી ફાયદો થશે.(ફોટો ક્રેડિટ-getty image)