ધુરંધર 2 ના એન્ડ ક્રેડિટમાં મળશે ‘મોટું સરપ્રાઈઝ’ ! શું આદિત્ય ધર ‘ધુરંધર 3’ થી બોલિવૂડમાં નવો ઇતિહાસ રચશે?

રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' હજુ તો સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર થઈ છે અને ત્યાં જ બોલિવૂડના ગલિયારાઓમાં તેના આગામી ભાગ એટલે કે 'ધુરંધર 3' ને લઈને અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

| Updated on: Mar 17, 2026 | 7:30 PM
1 / 6
'ધુરંધર 2' પછી હવે 'ધુરંધર 3' બનવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'વેરાયટી ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, જીયો સ્ટુડિયોએ આદિત્ય ધરને આ ફિલ્મનો આગામી ભાગ બનાવવા માટે આગ્રહ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "આદિત્ય ધર પાસે 'ધુરંધર 3' માટેનો આઈડિયા તો છે પરંતુ અત્યાર સુધી તેમણે કોઈ કમિટમેન્ટ (ખાતરી) આપ્યું નથી.

'ધુરંધર 2' પછી હવે 'ધુરંધર 3' બનવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. 'વેરાયટી ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, જીયો સ્ટુડિયોએ આદિત્ય ધરને આ ફિલ્મનો આગામી ભાગ બનાવવા માટે આગ્રહ કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "આદિત્ય ધર પાસે 'ધુરંધર 3' માટેનો આઈડિયા તો છે પરંતુ અત્યાર સુધી તેમણે કોઈ કમિટમેન્ટ (ખાતરી) આપ્યું નથી.

2 / 6
બીજી તરફ, સ્ટુડિયોનું માનવું છે કે, આ વિષય એવો છે કે, જેને એક આખા યુનિવર્સમાં બદલી શકાય છે. જીયો સ્ટુડિયોએ આદિત્ય ધરને 'ધુરંધર 2' ના એન્ડ ક્રેડિટ્સમાં 'ધુરંધર 3' નો સંકેત આપવા કહ્યું છે, જેથી ભવિષ્યમાં જો આ ફિલ્મ બને, તો તેની કડીઓ સરળતાથી જોડી શકાય."

બીજી તરફ, સ્ટુડિયોનું માનવું છે કે, આ વિષય એવો છે કે, જેને એક આખા યુનિવર્સમાં બદલી શકાય છે. જીયો સ્ટુડિયોએ આદિત્ય ધરને 'ધુરંધર 2' ના એન્ડ ક્રેડિટ્સમાં 'ધુરંધર 3' નો સંકેત આપવા કહ્યું છે, જેથી ભવિષ્યમાં જો આ ફિલ્મ બને, તો તેની કડીઓ સરળતાથી જોડી શકાય."

3 / 6
એક સૂત્રના આધારે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, 'ધુરંધર' એટલે હિટ રહી કારણ કે, તે YRF સ્પાય યુનિવર્સ અને સાઉથની એક્શન ફિલ્મોના ટેમ્પલેટ પર નહોતી બની. સિને-જગતમાં આદિત્ય ધરે જે જૂની પરંપરાઓ તોડી છે, હવે તેઓ પોતે જ તેમાં ફસાવવા માંગતા નથી." જો કે, 'ધુરંધર 3' બનશે કે નહીં? 'ધુરંધર 2' ના એન્ડ ક્રેડિટ્સમાં કોઈ સરપ્રાઈઝ મળશે કે નહીં? તે તો સમય જ કહેશે.

એક સૂત્રના આધારે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, 'ધુરંધર' એટલે હિટ રહી કારણ કે, તે YRF સ્પાય યુનિવર્સ અને સાઉથની એક્શન ફિલ્મોના ટેમ્પલેટ પર નહોતી બની. સિને-જગતમાં આદિત્ય ધરે જે જૂની પરંપરાઓ તોડી છે, હવે તેઓ પોતે જ તેમાં ફસાવવા માંગતા નથી." જો કે, 'ધુરંધર 3' બનશે કે નહીં? 'ધુરંધર 2' ના એન્ડ ક્રેડિટ્સમાં કોઈ સરપ્રાઈઝ મળશે કે નહીં? તે તો સમય જ કહેશે.

4 / 6
આટલું જ નહીં, અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આદિત્ય પાસે પહેલેથી જ ત્રીજા ભાગનો (Chapter) વિચાર (Idea) છે પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈ ખાતરી આપી નથી. જો કે, સ્ટુડિયો આ તક ગુમાવવા માંગતો નથી અને તેમણે ફિલ્મ નિર્માતાને પ્રેક્ષકોમાં ઉત્સાહ જાળવી રાખવા માટે 'ધુરંધર 2' માં ઓછામાં ઓછું એક પોસ્ટ-ક્રેડિટ ટીઝર એડ (Add) કરવા માટે કહ્યું છે, જેથી ત્રીજી ફિલ્મની શક્યતાનો સંકેત મળી શકે."

આટલું જ નહીં, અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આદિત્ય પાસે પહેલેથી જ ત્રીજા ભાગનો (Chapter) વિચાર (Idea) છે પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈ ખાતરી આપી નથી. જો કે, સ્ટુડિયો આ તક ગુમાવવા માંગતો નથી અને તેમણે ફિલ્મ નિર્માતાને પ્રેક્ષકોમાં ઉત્સાહ જાળવી રાખવા માટે 'ધુરંધર 2' માં ઓછામાં ઓછું એક પોસ્ટ-ક્રેડિટ ટીઝર એડ (Add) કરવા માટે કહ્યું છે, જેથી ત્રીજી ફિલ્મની શક્યતાનો સંકેત મળી શકે."

5 / 6
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવન્જ' (ધુરંધર 2) આગામી 19 માર્ચ, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2025ની બ્લોકબસ્ટર ફિલ્મની આ સિક્વલ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે, જેના પેઇડ પ્રિવ્યૂ 18 માર્ચથી જ શરૂ થઈ જશે.

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવન્જ' (ધુરંધર 2) આગામી 19 માર્ચ, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2025ની બ્લોકબસ્ટર ફિલ્મની આ સિક્વલ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે, જેના પેઇડ પ્રિવ્યૂ 18 માર્ચથી જ શરૂ થઈ જશે.

6 / 6
3 કલાક અને 55 મિનિટની લાંબી રન ટાઈમ ધરાવતી આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે.

3 કલાક અને 55 મિનિટની લાંબી રન ટાઈમ ધરાવતી આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે.

Follow Us