
દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે.(Photo: Getty)

ભારતની સિલિકોન વેલી (Bengaluru)તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs (High-Net-Worth Individual) રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે. ઓટોમોબાઈલ હબ ચેન્નાઈ 4 અબજોપતિ અને 30 સેન્ટિમિલિયોનેરનું ઘર છે. તે પછી એનસીઆર શહેર ગુરુગ્રામ આવે છે, જે 2 અબજોપતિ અને 18 સેન્ટિમિલિયોનેરના ઘર છે.(Photo: Getty)

સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ આપનાર ગુજરાતનું એક પણ શહેર આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. તેવી જ રીતે, ઉત્તર ભારતમાંથી દિલ્હી-એનસીઆર સિવાય, અન્ય કોઈ શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે. (Photo: Getty) Edit -Dhinal chavda
Published On - 7:14 pm, Sun, 27 March 22