
અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા નીકળે તે પહેલાં ભગવાન જગન્નાથે (Bhagvan Jagannath) સોનાવેશ ધારણ કર્યો હતો.

યજમાનોએ પ્રભુના સોનાવેશ (Sonavesh) ની પૂજા કરી હતી અને ભગવાનને આજે એટલે કે 30 જૂનના રોજ સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે.

પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતાં હોય છે.

પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.