TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Aug 27, 2022 | 8:06 PM
લોકો ઘણીવાર શરીરના બાકીના ભાગની કાળજી લેવાની અવગણના કરે છે. જેના કારણે ત્વચા કાળી થઈ જાય છે. ઘણા લોકોના ઘૂંટણ પર કાળાશ આવી જાય છે. તમે ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે કેટલાક ઘરેઘથ્થુ ઉપચાર પણ અજમાવી શકો છો.
એલોવેરા અને ખાંડ- એક વાસણમાં એક ચમચી એલોવેરા જેલ લો, તેમાં એક ચમ્મતી ખાંડ ઉમેરો. તેન બરાબર મિક્સ કરીને ઘૂંટણ પર ઘસો. તેનાથી કાળાશ દૂર થશે.
લીંબુ અને કોફી- આ બન્ને એક પાત્રમાં એક એક ચમ્મચી લઈને મિક્સ કરો. તેને ઘૂંટણ પર ઘસી થોડા સમય બાદ પાણીથી સાફ કરી લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 2-3 વાર કરો.
દહીં અને ચણાનો લોટ - આ સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી દહીં લો. તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરો. આ વસ્તુઓને મિક્સ કરો અને ઘૂંટણ પર 10 થી 15 મિનિટ સુધી લગાવો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.
કાકડીનો રસ અને ઓટ્સ - એક બાઉલમાં એક ચમચી કાકડીનો રસ લો. તેમાં એક ચમચી ઓટ્સ પાવડર ઉમેરો. આ બે વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. મૃત ત્વચા દૂર કરવા માટે તેની સાથે ત્વચાને સ્ક્રબ કરો. તે તમારા ઘૂંટણની કાળાશ પણ દૂર કરશે.