
અત્યારે દાહોદમાં 5 માણસો રોકાયેલા છે અને અમે જરૂરિયાત મુજબ વધારો કરાશે. કારણ કે 16000 ચોરસ ફૂટનું કામ 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું છે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની દેખરેખ રાખતા હુસૈન ભાટિયાજીએ અગાઉનું કામ જોઈને ચિત્રકારોને દાહોદ બોલાવ્યા હતા.

આ બાબતે કલાકારો જણાવે છેકે "આખી થીમ સંસ્કૃતિ વિશે છે. ગુજરાતી સંસ્કૃતિની સાથે દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. અમે એક સ્ટાર્ટઅપ કંપની છીએ, અમારી કામ કરવાની રીત નવીન છે, તેથી જ સરકારે અમને સ્ટાર્ટઅપની માન્યતા આપી છે. અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."

અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ લગભગ 10 લાખ ચોરસ ફૂટ પર કામ કરાયું છે. જેમાં રેલવેના રતલામ ડિવિઝનમાં તમામ રેલવે સ્ટેશન, ભુસાવલ જલગાંવ સ્ટેશન, અયોધ્યા, ઉજ્જૈન, નીમચ, મંદસૌર શહેર, દાહોદ રેલવે વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર કેનવાસ પેઇન્ટિંગ લગાવવાનું કામ પણ કરવામાં આવશે. વોલ પેઈન્ટીંગ ઉપરાંત અમે સ્કલ્પચર, સ્ટેચ્યુ મેકિંગ, કેનવાસ પેઈન્ટીંગ પણ આ કલાકારો દ્વારા કરવામાં આવે છે.

કલાકારોએ કહ્યું કે "અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."
Published On - 8:55 pm, Mon, 10 April 23