
જો કે ગુજરાતમાં વાવાઝોડાની વધારે અસર થાય તેવી શક્યતા નથી. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી પણ કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોઈ જગ્યાએ સાવ હળવો અને છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર સર્જાતી નથી તેનું અન્ય એક કારણ પણ છે.

સામાન્ય રીતે ભારતની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે તરફ વાવાઝોડાં સર્જાતાં હોય છે. આ વાવાઝોડા ભારતના વિવિધ વિસ્તારોને અસર કરતાં હોય છે.જો કે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી હોય છે અનેબંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની રાજ્યને સીધી અસર થતી નથી.