
જો કે અન્ય તરફ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દમણના દરિયાકિનારે સાવચેતી રાખવામાં આવી રહી છે. હેલિકોપ્ટર દ્વારા અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યુ છે.

તો દરિયો તોફાની બનવાની સંભાવનાઓને લઈને માછીમારોએ દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચન કરાયુ છે. તેમજ વલસાડ જિલ્લા ફિસરિસ ડિપાર્ટમેન્ટ પણ એલર્ટ થયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા અથવા દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા સૂચના અપાઈ છે.