
ભારે પવન ફુંકાવાને કારણે લોકો પવનથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. પોરબંદરના સર્કિટ હાઉસને પણ ભારે પવનને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યુ છે.

Biparjoy

ભારે પવનની ગતિને ધ્યાને રાખી તંત્ર ખડેપગે સજ્જ છે. લોકોને સલામત સ્થળે ખસેડવાથી લઈ તેમના રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તો દરિયાકાંઠાના ગામોમાં કલમ 144 અમલી કરાઈ છે. લોકોને દરિયાકાંઠે ન જવા ખાસ તાકીદ કરાઈ છે. સાગરખેડૂઓને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.