
ચોથા દિવસે ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની વિકેટ ઝડપી લેવાની હતી પરંતુ આ કામ થઈ શક્યું ન હતું અને ભારતને 444 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો.ચોથા દિવસે ભારતનો બીજો દાવ શરૂ થયો હતો. એવી આશા હતી કે રોહિત અને શુભમન ગિલ ટીમને સારી શરૂઆત આપશે પરંતુ એવું થઈ શક્યું નહીં. પૂજારા પણ આ ઇનિંગમાં ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.

પાંચમાં દિવસે ભારતીય ટીમને જીત માટે 280 રનની જરુર હતી. કોહલી અને રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓ ક્રીઝ પર હતી. પણ ડિફેન્સીવ ક્રિકેટ રમવાના ચક્કરમાં ભારતીય ટીમે વિકેટો ગુમાવી હતી. વિરાટ કોહલીનો આક્રમક અંદાજ આ ટેસ્ટમાં જોવા મળ્યો ના હતો.