
તમને જણાવી દઈએ કે IPL 2022 શરૂ થવાના 2 દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે એમએસ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી છે. એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા. (File Photo)

રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેના કારણે ટીમે વચ્ચેથી કેપ્ટન બદલવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ એમએસ ધોની ચેન્નાઈનો કેપ્ટન બન્યો અને તેના કેપ્ટન બન્યા બાદ ટીમે એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. (File Photo)

ચેન્નાઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શન પર વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, પ્રથમ ટીમની પ્લેઈંગ 11 સારી ન હતી. ઋતુરાજે શરૂઆતમાં રન બનાવ્યા ન હતા. એમએસ ધોનીએ માત્ર એક જ મેચમાં રન બનાવ્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં જે મેચ જીતી હતી, ત્યાં પણ ટીમ લગભગ હારી ગઈ હતી. (PC: IPL)

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 વખત આઈપીએલ ચેમ્પિયન છે. ટીમ આ વખતે કોઈ અજાયબી કરી શકી નથી અને ગત વર્ષની ચેમ્પિયન રહીને પણ આ વખતે તે પ્લેઓફમાં નિષ્ફળ સાબિત થઈ છે. (File Photo)