
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો કેન્ડીમાં થશે અને વિરાટ કોહલીની સરેરાશ માત્ર 10ની છે. વિરાટ કોહલીએ પલ્લેકેલેમાં 3 મેચ રમી છે અને તેના બેટમાંથી માત્ર 30 રન જ આવ્યા છે. વિરાટ કોહલી શ્રીલંકાના દરેક મેદાન પર રન બનાવે છે પરંતુ કેન્ડીમાં બેટથી તેનો શ્રેષ્ઠ સ્કોર માત્ર 23 રન છે.

કેન્ડીના મેદાન પર વિરાટ કોહલી સૌથી પહેલા 2012માં રમ્યો હતો. અહીં તેની 23 રનની ઇનિંગ તેના બેટથી બહાર આવી અને નુઆન પ્રદીપે તેને LBW આઉટ કર્યો.2017 ઓગસ્ટમાં વિરાટ કોહલી કેન્ડીના મેદાન પર કેપ્ટન બની પરત ફર્યો હતો. ફરી એક વખત તેનું બેટ ચાલ્યું નહિ. આ વખતે તેના બેટમાંથી માત્ર 4 રન આવ્યા હતા અને તે 2 બોલ જ રમી શક્યો હતો. આ વખતે અકિલા ધનંજ્યાએ તેને બોલ્ડ કર્યો હતો.

2017 ઓગસ્ટમાં ફરી વિરાટ કોહલી આ મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ રમ્યો અને તે 3 જ રન બનાવી શક્યો હતો. વિરાટ કોહલી 11 બોલ રમી આઉટ થયો હતો સ્ષ્ટ છે કે, વિરાટ કોહલી આ મેદાન પર ખુબ સ્ટ્રગલ કરતે છે અને પાકિસ્તાન વિરુદ્ધ પણ કાંઈ આવું જ થઈ શકે છે.

વિરાટ કોહલીને કેન્ડીમાં મળેલી નાકામી ભુલી ચોથી મેચમાં સફળ થશે. વિરાટ કોહલીએ પહેલા આવું કર્યું છે. વર્ષે 2014માં જેણે ઈગ્લેન્ડના પ્રવાસ પર તેના બેટમાંથી એક અડધી સદી આવી હતી. એજ ઈગ્લેન્ડની ધરતી પર જ્યારે તેમણે 2018માં પગ મુક્યો તો આ ખેલાડીએ 5 મેચમાં 593 રન બનાવ્યા હતા. તેથી સ્ષ્ટ છે કે,વિરાટ કોહલીને ઈતિહાસ બદલવાની આદત છે અને કેંડીમાં તની પાસે આવી જ આશા રહેશે.

પાકિસ્તાન વિરુદ્ધ વિરાટનું બેટ રન આપે છે. આ ટીમ વિરુદ્ધ વિરાટે 13 મેચમાં 48.72ની સરેરાશથી 536 રન બનાવ્યા છે. વિરાટના નામે 2 સદી , 2 અડધી સદી છે. છેલ્લા ટી 20 વર્લ્ડ કપમાં મેલબર્નના મેદાન પર વિરાટ કોહલીએ જે અંદાજે ટીમ ઈન્ડિયાને જીત અપાવી તે હજુ પાકિસ્તાનીઓના મગજમાં છે. તે કેન્ડીના મેદાનમાં પણ વિરાટને છોડશે નહિ, ત્યારે હવે એ જોવાનું રહેશે કે, કોહલી કેન્ડીમાં પોતાનો ઈતિહાસ કઈ રીતે બદલે છે.