23 નવેમ્બર, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની શરુઆત થશે. વર્લ્ડ કપમાં સૂર્યાકુમાર યાદવ ફલોપ રહ્યો હતો. તેમ છતા તેને ટી20 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવી શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની સુકાન સંભાળતા જોવા મળશે. ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની કોઈ આધિકારિક જાહેરાત થઈ નથી.
ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના નામ પર વિચાર થઈ રહ્યો છે. પણ જો તે ફિટ ના થાય તો સૂર્યાકુમાર યાદવ જ ટીમના કેપ્ટન રહેશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હમણા સુધી 26 ટી20 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 અને ભારતે 15 મેચમાં જીત મેળવી હતી.
ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શેડ્યૂલ: 1લી T20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ, 2જી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ, ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી, 4થી T20: 1 ડિસેમ્બર, રાયપુર, પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ
Published On - 9:57 pm, Mon, 20 November 23