ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં આ પાંચ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે ખાસ નજર

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત ત્રણ મેચની વનડે સીરિઝ ઓસ્ટ્રેલિયા સામે રમશે. જેની પહેલી મેચ શુક્રવારે મોહાલીમાં રમાશે. પહેલી બે મેચમાં સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડયા નહીં રમે. અંતિમ મેચમાં તેઓ ટીમનો ભાગ હશે. આ ત્રણ મેચ બંને ટીમો માટે વર્લ્ડ કપ પહેલાની તૈયારી માટે શ્રેષ્ઠ સાબિત થશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ આ ત્રણ મેચમાં ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને અન્ય પ્રશ્નોનો જવાબ શોધશે. જેમાં વર્લ્ડ કપ ટીમમાં સામેલ ખેલાડીઓ પર ખાસ નજર રહેશે. ટીમમાં એવા પાંચ ખેલાડીઓ છે જે ફોર્મ, ફિટનેસ અને પોતાના સ્થાનને લઈ ચર્ચામાં છે જેમના પ્રદર્શન પર બધાની નજર ટકેલી છે.

| Edited By: | Updated on: Sep 21, 2023 | 10:55 PM
4 / 5
એશિયા કપ ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરની અચાનક ટીમમાં એન્ટ્રી થઈ અને તે ફાઇનલ મેચમાં રમ્યો પણ, જેનો મતલબ એ થાય છે કે સુંદર કેપ્ટન રોહિતની વર્લ્ડ કપ ટીમની લિસ્ટમાં પહેલાથી હતો જ, પરંતુ 15 ખેલાડીઓમાં તેનું સ્થાન નિશ્ચિત હતું નહીં. હવે જો  અક્ષર પટેલની ઈજા ગંભીર સાબિત થશે તો તેના સ્થાને સુંદરની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ શકે છે. એટલે માટે તેનું આ સીરિઝમાં પ્રદર્શન કેવું રહે છે એના પર ટીમ મેનેજમેન્ટની ખાસ નજર છે.

એશિયા કપ ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરની અચાનક ટીમમાં એન્ટ્રી થઈ અને તે ફાઇનલ મેચમાં રમ્યો પણ, જેનો મતલબ એ થાય છે કે સુંદર કેપ્ટન રોહિતની વર્લ્ડ કપ ટીમની લિસ્ટમાં પહેલાથી હતો જ, પરંતુ 15 ખેલાડીઓમાં તેનું સ્થાન નિશ્ચિત હતું નહીં. હવે જો અક્ષર પટેલની ઈજા ગંભીર સાબિત થશે તો તેના સ્થાને સુંદરની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ શકે છે. એટલે માટે તેનું આ સીરિઝમાં પ્રદર્શન કેવું રહે છે એના પર ટીમ મેનેજમેન્ટની ખાસ નજર છે.

5 / 5
આ લિસ્ટમાં સૌથી મોટું અને સૌથી ચર્ચિત નામ છે રવિચંદ્રન અશ્વિનનું. અશ્વિનની અંતિમ સમયે ટીમમાં એન્ટ્રી થઈ છે. તે સૌથી અનુભવી ખેલાડીઓમાં એક છે. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે તેને ત્રણેય મેચમાં તક મળશે એ લગભગ નક્કી છે. જો અશ્વિન આ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન મળી શકે છે.

આ લિસ્ટમાં સૌથી મોટું અને સૌથી ચર્ચિત નામ છે રવિચંદ્રન અશ્વિનનું. અશ્વિનની અંતિમ સમયે ટીમમાં એન્ટ્રી થઈ છે. તે સૌથી અનુભવી ખેલાડીઓમાં એક છે. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે તેને ત્રણેય મેચમાં તક મળશે એ લગભગ નક્કી છે. જો અશ્વિન આ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન મળી શકે છે.