IND vs SL: શ્રેયસ અય્યર 92 રનની ઇનીંગ રમીને પણ અણગમતી યાદીમાં સામેલ થયો, જેમાં સચિન, સહેવાગ, વેંગસરકર પણ છે

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે (Shreyas Iyer ) શાનદાર રીતે રન લૂંટ્યા અને જબરદસ્ત ઈનિંગ રમી અને ટીમને વધુ સારા સ્કોર સુધી લઈ ગયો હતો.

| Edited By: | Updated on: Mar 13, 2022 | 9:13 AM
1 / 5
બેંગ્લોર ટેસ્ટના પ્રથમ દિવસે ભારત અને શ્રીલંકાના બોલરોનો દબદબો રહ્યો હતો, પરંતુ માત્ર એક જ બેટ્સમેન ટક્કર આપી શક્યો હતો. ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે શાનદાર રીતે રન લૂંટ્યા અને જબરદસ્ત ઈનિંગ રમી અને ભારતીય ટીમને વધુ સારા સ્કોર સુધી લઈ ગયો હતો. જો કે, તેની ઇનિંગ દરમિયાન, તેનું નામ અનિચ્છનીય પરંતુ અનુભવીઓથી ભરેલી યાદીમાં સામેલ થઈ ગયું.

બેંગ્લોર ટેસ્ટના પ્રથમ દિવસે ભારત અને શ્રીલંકાના બોલરોનો દબદબો રહ્યો હતો, પરંતુ માત્ર એક જ બેટ્સમેન ટક્કર આપી શક્યો હતો. ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે શાનદાર રીતે રન લૂંટ્યા અને જબરદસ્ત ઈનિંગ રમી અને ભારતીય ટીમને વધુ સારા સ્કોર સુધી લઈ ગયો હતો. જો કે, તેની ઇનિંગ દરમિયાન, તેનું નામ અનિચ્છનીય પરંતુ અનુભવીઓથી ભરેલી યાદીમાં સામેલ થઈ ગયું.

2 / 5
વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા બેટ્સમેનોની શરૂઆતની વિકેટો બાદ શ્રેયસ અય્યરે જવાબદારી સંભાળી અને માત્ર 54 બોલમાં પોતાની કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી. તે અંતિમ બેટ્સમેન તરીકે 92 રન બનાવીને આઉટ થયો હતો.

વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા બેટ્સમેનોની શરૂઆતની વિકેટો બાદ શ્રેયસ અય્યરે જવાબદારી સંભાળી અને માત્ર 54 બોલમાં પોતાની કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી. તે અંતિમ બેટ્સમેન તરીકે 92 રન બનાવીને આઉટ થયો હતો.

3 / 5
શ્રેયસ અય્યરને શ્રીલંકાના સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમાની બોલ પર સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યો હતો અને આ રીતે તેનું નામ અનિચ્છનીય રેકોર્ડની યાદીમાં જોડાઈ ગયું હતું. તે ટેસ્ટમાં 90 થી 100 રનની વચ્ચે આઉટ સ્ટમ્પ થનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો.

શ્રેયસ અય્યરને શ્રીલંકાના સ્પિનર ​​પ્રવીણ જયવિક્રમાની બોલ પર સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યો હતો અને આ રીતે તેનું નામ અનિચ્છનીય રેકોર્ડની યાદીમાં જોડાઈ ગયું હતું. તે ટેસ્ટમાં 90 થી 100 રનની વચ્ચે આઉટ સ્ટમ્પ થનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો.

4 / 5
તેના પહેલા મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર પણ આમ શિકાર બન્યો હતો. સચિન પણ બેંગ્લોરમાં જ 2001 માં ઈંગ્લેન્ડ સામે 90 રનમાં સ્ટમ્પ થઈ ગયો હતો. તેના સિવાય વીરેન્દ્ર સેહવાગ પણ આનો શિકાર બન્યો હતો. 2010 માં શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં તે 99 રન બનાવીને સ્ટમ્પ કરીને આઉટ થયો હતો. આ બંને દિગ્ગજો પહેલા દિલીપ વેંગસરકરને પણ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 1987માં પાકિસ્તાન સામે ચેન્નાઈ ટેસ્ટમાં તે 96 રન બનાવીને આઉટ થયા હતા.

તેના પહેલા મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર પણ આમ શિકાર બન્યો હતો. સચિન પણ બેંગ્લોરમાં જ 2001 માં ઈંગ્લેન્ડ સામે 90 રનમાં સ્ટમ્પ થઈ ગયો હતો. તેના સિવાય વીરેન્દ્ર સેહવાગ પણ આનો શિકાર બન્યો હતો. 2010 માં શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં તે 99 રન બનાવીને સ્ટમ્પ કરીને આઉટ થયો હતો. આ બંને દિગ્ગજો પહેલા દિલીપ વેંગસરકરને પણ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 1987માં પાકિસ્તાન સામે ચેન્નાઈ ટેસ્ટમાં તે 96 રન બનાવીને આઉટ થયા હતા.

5 / 5

બેંગ્લોરમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ શનિવાર 12 માર્ચથી શરૂ થઈ હતી અને પહેલા જ દિવસે ભારતીય ટીમ માત્ર 252 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના સ્પિનરોએ એમ ચિન્નાસ્વામીની અસમાન ઉછાળવાળી પીચ પર પિંક બોલથી મુશ્કેલી સર્જી દીધી અને ભારતને નાના સ્કોર પર જ રોકી દીધું હતુ.

બેંગ્લોરમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ શનિવાર 12 માર્ચથી શરૂ થઈ હતી અને પહેલા જ દિવસે ભારતીય ટીમ માત્ર 252 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના સ્પિનરોએ એમ ચિન્નાસ્વામીની અસમાન ઉછાળવાળી પીચ પર પિંક બોલથી મુશ્કેલી સર્જી દીધી અને ભારતને નાના સ્કોર પર જ રોકી દીધું હતુ.

Follow Us
Loading...
Unable to load recommendations.