IPL 2022 માટે મેગા ઓક્શનમાં આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. આ ખાસ હરાજી માટે ટીમોએ તૈયારી કરી લીધી છે. ટીમોએ હરાજી માટે મોક ડ્રીલ પણ શરૂ કરી છે જેમાં RCB, ચેન્નાઈ, સુપર કિંગ્સ, KKR ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે.
સમાચાર અનુસાર, આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌના ટેબલ પર ચાહકો ટીમની સાથે સાથે દિગ્ગજ ખેલાડીઓને પણ જોશે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની (Ms Dhoni) અને ગૌતમ ગંભીરનું નામ સામેલ છે. ધોની ચેન્નાઈનો કેપ્ટન છે, જ્યારે ગંભીરને લખનૌ સુપર જાયન્ટ્સે પોતાનો મેન્ટર બનાવ્યો છે.
મીડિયા અહેવાલ અનુસાર, આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌના ટેબલ પર ચાહકો ટીમની સાથે સાથે દિગ્ગજ ખેલાડીઓને પણ જોશે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીરનું નામ સામેલ છે. ધોની ચેન્નાઈનો કેપ્ટન છે, જ્યારે ગંભીરને લખનૌ સુપર જાયન્ટ્સે પોતાનો મેન્ટર બનાવ્યો છે.
લખનૌના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તે દરરોજ ગૌતમ ગંભીર સાથે હરાજી વિશે વાત કરે છે. તેણે કહ્યું કે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ તેને અને ગંભીરને ટીમની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી.
આરસીબી પણ આ સીઝનની હરાજી માટે પોતાની જાન લગાવવામાં વ્યસ્ત છે. ટીમના હેડ કોચ સંજય બાંગર ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને વિરાટ કોહલી સાથે મળીને ટીમનું આયોજન કરી રહ્યા છે.
Published On - 3:31 pm, Fri, 4 February 22