
ભારતના અનુભવી બેટ્સમેન શિખર ધવન ત્રીજા નંબર પર છે. જોકે, ધવન આ સિરીઝમાં ટીમનો ભાગ નથી. તેણે શ્રીલંકા સામે 12 મેચમાં 12 સિક્સર ફટકારી છે.

ભારતની બે વર્લ્ડ કપ જીતમાં મહત્વનો ભાગ ભજવનાર યુવરાજ સિંહ આ મામલે ચોથા નંબર પર છે. યુવરાજે 2009થી 2016 દરમિયાન શ્રીલંકા સામે નવ ટી-20 મેચ રમી અને 11 સિક્સર ફટકારી.

કેએલ રાહુલ અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ પ્રવાસમાં 10-10 સિક્સર ફટકારી છે. રાહુલે શ્રીલંકા સામે રમાયેલી આઠ મેચમાં જ્યારે દાસુને 15 મેચમાં આટલી સિક્સ ફટકારી છે. રાહુલ ઈજાના કારણે આ સિરીઝનો ભાગ નથી. આવામાં દાસુન તેને પાછળ છોડી શકે છે.