Nitish Rana કેપ્ટન બનતાની સાથે જ કાલી માના દર્શન કરવા પહોંચ્યા, IPL શરૂ થતા પહેલા આશીર્વાદ લીધા

|

Mar 29, 2023 | 11:36 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ નીતિશ રાણા કરશે. ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાના કારણે લીગમાં ભાગ લઈ રહ્યો નથી.

1 / 5
 ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા જ તેના પર ઈજાનું નામ ગ્રહણ થઈ ગયું છે. તેની અસર ઘણી ટીમો પર જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા જ તેના પર ઈજાનું નામ ગ્રહણ થઈ ગયું છે. તેની અસર ઘણી ટીમો પર જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

2 / 5
 નીતિશ રાણા લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે પરંતુ તે પ્રથમ વખત આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ સાથે જ ટીમને ચંદ્રકાંત પંડિતના રૂપમાં નવો કોચ પણ મળ્યો છે. નવી સિઝનમાં નવા પ્રવાસ પહેલા બંને માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા

નીતિશ રાણા લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે પરંતુ તે પ્રથમ વખત આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ સાથે જ ટીમને ચંદ્રકાંત પંડિતના રૂપમાં નવો કોચ પણ મળ્યો છે. નવી સિઝનમાં નવા પ્રવાસ પહેલા બંને માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા

3 / 5
નીતીશ રાણા અને ચંદ્રકાંત મંગળવારે નવરાત્રમાં  મા કાલીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બંનેએ કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પૂજા કરી હતી. KKRએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંનેના અનેક ફોટો શેર કર્યા છે.

નીતીશ રાણા અને ચંદ્રકાંત મંગળવારે નવરાત્રમાં મા કાલીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બંનેએ કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પૂજા કરી હતી. KKRએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંનેના અનેક ફોટો શેર કર્યા છે.

4 / 5
 કોલકાતા નાઈટ રાઈડર્સ ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આવી હતી. તેણે અહીં 14માંથી છ મેચ જીતી હતી. શાનદાર શરૂઆત હોવા છતાં, તે 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહીં. નવા કોચ અને નવા કેપ્ટન સાથે ટીમ વધુ સારું પ્રદર્શન કરવા માંગશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આવી હતી. તેણે અહીં 14માંથી છ મેચ જીતી હતી. શાનદાર શરૂઆત હોવા છતાં, તે 12 પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહીં. નવા કોચ અને નવા કેપ્ટન સાથે ટીમ વધુ સારું પ્રદર્શન કરવા માંગશે.

5 / 5
છેલ્લી ત્રણ સિઝનમાં KKRએ ચાર વખત કેપ્ટન બદલ્યો છે. નીતીશ રાણા પહેલા શ્રેયસ અય્યર છેલ્લી સિઝનમાં કેપ્ટન હતો. અને તે પહેલા ઓયન મોર્ગન અને દિનેશ કાર્તિક પણ આ ટીમની કમાન સંભાળી ચુક્યા છે. 2018થી KKR સાથે જોડાયેલા રાણાને પહેલીવાર આ તક મળી રહી છે. રાણાએ સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી છે.(PC- KKR Twitter)

છેલ્લી ત્રણ સિઝનમાં KKRએ ચાર વખત કેપ્ટન બદલ્યો છે. નીતીશ રાણા પહેલા શ્રેયસ અય્યર છેલ્લી સિઝનમાં કેપ્ટન હતો. અને તે પહેલા ઓયન મોર્ગન અને દિનેશ કાર્તિક પણ આ ટીમની કમાન સંભાળી ચુક્યા છે. 2018થી KKR સાથે જોડાયેલા રાણાને પહેલીવાર આ તક મળી રહી છે. રાણાએ સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીની કેપ્ટનશીપ કરી છે.(PC- KKR Twitter)

Next Photo Gallery