TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Sep 14, 2022 | 3:51 PM
આઈપીએલ 2022માં મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન બાદ હવે ફેન્ચાઈઝીએ મોટો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્દને રાજીનામું આપ્યું છે. તો મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ડાયરેક્ટર ઝહીર ખાનની જવાબદારીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. (PC-AFP)
મહેલા જયવર્ધન હવે મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ રહેશે નહિ. જયવર્ધન હવે મુંબઈ ટીમના પરફોર્મેન્સ ગ્લોબલ હેડ હશે.મુંબઈની યુએઈ અને સાઉથ આફ્રિકી લીગની ટીમના પરફોર્મન્સની જવાબદારી હવે મહેલા જયવર્ધનના હાથમાં રહેશે. (PC-AFP)
ઝહીર ખાનની વાત કરીએ તો હવે તે પૂર્વ ભારતીય ક્રિકેટર મુંબઈની ત્રણ ટીમોના ક્રિકેટર ડેવેલપમેન્ટ હેડ બન્યો છે. ઝહીર ખાન મુંબઈ ઈન્ડિયન્સના વિકાસની જવાબદારી સંભાળશે. (PC-INSTAGRAM)
તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ નવા હેડ કોચની નિયુક્તી કરશે. માનવામાં આવી રહ્યું છે કે, સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચર કોઈ આઈપીએલ ટીમના હેડ કોચ તરીકે જોડાઈ શકે છે. બની શકે કે તે મુંબઈ ઈન્ડિયનસ સાથે જોડાઈ. હાલમાં પંજાબની ટીમના હેડ કોચનું પદ પણ ખાલી છે.(PC-AFP)
મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ 2022માં ખરાબ પ્રદર્શન રહ્યું હતુ. મુંબઈ 14માંથી 4 જ મેચ જીતી શકી હતી. તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. (PC-AFP)