
જોકે જાડેજાએ રાજસ્થાન ટીમ સાથે જોડાઈ રહેવાને બદલે અલગ વિચાર્યુ હતુ. જાડેજા રાજસ્થાનથી મુંબઈની ટીમમાં પહોંચવા ઈચ્છતો હતો. આ માટે જાડેજાએ જાતે જ મુંબઈની ટીમ સાથે વાટાઘાટ શરુ કરી હતી, જે મામલો બહાર આવી ગયો હતો અને જેને લઈ હંગામો મચ્યો હતો. આઈપીએલમાં કોઈ ખેલાડી સીધી જ વાતચિત કોઈ ફેન્ચાઈઝી સાથે જોડાવવા માટે કરી શકતુ નથી. આમ જાડેજા સાથે એન્ટી ટીમ ગતિવિધીને લઈ આરોપ લાગ્યો હતો.

રવિન્દ્ર જાડેજાને આઈપીએલમાં સજા એક સિઝનના પ્રતિબંધના રુપમાં મળી હતી. આમ 2010ની સિઝનમાં જાડેજાએ બહાર રહેવુ પડ્યુ હતુ. આગળની સિઝનમાં એટલે કે 2011માં તે કોચ્ચિ ટસ્કર્સમાં જોડાયો હતોય આ ટીમ ખુદ જ આઈપીએલથી હટી જવાને લઈ 2012માં જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો બન્યો હતો. ત્યારથી જાડેજા હજુ સુધી ચેન્નાઈનો હિસ્સો છે.
Published On - 10:30 am, Sat, 11 March 23