IPL 2022: ટીમોએ મુકેલો ભરોસો ઊંધો પડ્યો! જે ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, હવે તે જ ટીમની તકલીફ બની રહ્યા છે

|

Apr 19, 2022 | 10:03 PM

IPL 2022 : લીગની અડધી સફરમાં સમગ્ર વાસ્તવિકતા એ છે કે રિટેન કરાયેલા ખેલાડીઓ ટીમોની શાંતિ લૂંટી રહ્યા છે. રિટેન કરાયેલા મોટાભાગના ખેલાડીઓએ અત્યાર સુધી કઇ ખાસ પ્રદર્શન નથી કર્યું અને લોકો તેમના પ્રદર્શનથી નિરાશ થયા છે.

1 / 7
IPL 2022 અડધે રસ્તે આવી ગયું છે. આ અડધી સફરમાં ખેલાડીઓના સાચા રંગ પણ સામે આવા લાગ્યા છે. ખાસ કરીને તે ખેલાડીઓ વિશે વાત કરવી વધુ મહત્વપૂર્ણ છે, જેમને IPL 2022ની મેગા હરાજી પહેલા ટીમોએ રીટેન કર્યા હતા. આમ IPL 2022ની અડધી સફરમાં, સમગ્ર વાસ્તવિકતા એ છે કે રિટેન કરાયેલા ખેલાડીઓ ટીમોની શાંતિ લૂંટી રહ્યા છે. રિટેન કરાયેલા મોટાભાગના ખેલાડીઓ તેમના અત્યાર સુધીના પ્રદર્શનથી લોકોને નિરાશ કર્યા છે.

IPL 2022 અડધે રસ્તે આવી ગયું છે. આ અડધી સફરમાં ખેલાડીઓના સાચા રંગ પણ સામે આવા લાગ્યા છે. ખાસ કરીને તે ખેલાડીઓ વિશે વાત કરવી વધુ મહત્વપૂર્ણ છે, જેમને IPL 2022ની મેગા હરાજી પહેલા ટીમોએ રીટેન કર્યા હતા. આમ IPL 2022ની અડધી સફરમાં, સમગ્ર વાસ્તવિકતા એ છે કે રિટેન કરાયેલા ખેલાડીઓ ટીમોની શાંતિ લૂંટી રહ્યા છે. રિટેન કરાયેલા મોટાભાગના ખેલાડીઓ તેમના અત્યાર સુધીના પ્રદર્શનથી લોકોને નિરાશ કર્યા છે.

2 / 7
Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને IPL 2022 માટે 15 કરોડ રૂપિયા ચૂકવીને જાળવી રાખ્યો. પરંતુ પ્રથમ 6 મેચોમાં RCB માટે તેની બેટિંગ એવરેજ માત્ર 23.80 છે અને સ્ટ્રાઈક રેટ 126.26 છે.

Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને IPL 2022 માટે 15 કરોડ રૂપિયા ચૂકવીને જાળવી રાખ્યો. પરંતુ પ્રથમ 6 મેચોમાં RCB માટે તેની બેટિંગ એવરેજ માત્ર 23.80 છે અને સ્ટ્રાઈક રેટ 126.26 છે.

3 / 7
Rohit Sharma: રોહિત શર્મા IPLનો સૌથી સફળ ખેલાડીમાંનો એક છે. મુંબઈ ઈન્ડિયન્સને 5 ટાઈટલ જીતવાનો શ્રેય રોહિત શર્માને જાય છે. આ કારણોસર તેને જાળવી રાખવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી 6 મેચ રમ્યા બાદ તેની એવરેજ 19 અને સ્ટ્રાઈક રેટ 129. 54 છે.

Rohit Sharma: રોહિત શર્મા IPLનો સૌથી સફળ ખેલાડીમાંનો એક છે. મુંબઈ ઈન્ડિયન્સને 5 ટાઈટલ જીતવાનો શ્રેય રોહિત શર્માને જાય છે. આ કારણોસર તેને જાળવી રાખવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી 6 મેચ રમ્યા બાદ તેની એવરેજ 19 અને સ્ટ્રાઈક રેટ 129. 54 છે.

4 / 7
Venkatesh Iyer : વેંકટેશ ઐયર IPL 2021 ના ​​UAE ભાગના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ટીમે તેને જાળવી રાખ્યો હતો. પરંતુ તેને જાળવી રાખ્યા પછી તેણે ચાલુ સિઝનમાં કઇ ખાસ પ્રદર્શન નથી કર્યું. તેણે પ્રથમ 7 મેચમાં 18.16ની એવરેજ અને 102.83ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

Venkatesh Iyer : વેંકટેશ ઐયર IPL 2021 ના ​​UAE ભાગના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ટીમે તેને જાળવી રાખ્યો હતો. પરંતુ તેને જાળવી રાખ્યા પછી તેણે ચાલુ સિઝનમાં કઇ ખાસ પ્રદર્શન નથી કર્યું. તેણે પ્રથમ 7 મેચમાં 18.16ની એવરેજ અને 102.83ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

5 / 7
Moeen Ali: એક રીતે ફાફ ડુ પ્લેસિસનું બલિદાન આપીને ચેન્નાઈ સુપર કિંગ્સે મોઇન અલીને પોતાની સાથે જોડાયેલા રાખવાનું નક્કી કર્યું. પરંતુ આ શરત બેકફાયર લાગતી હતી. જ્યારે તે જાળવી રાખ્યા પછી પણ ટીમને બેચેન કરતો જોવા મળ્યો હતો. લીગની અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં મોઈન અલીની બેટિંગ એવરેજ 17.40 અને સ્ટ્રાઈક રેટ 124.28 છે. આ દરમિયાન તેણે બોલિંગમાં 8.50ની ઈકોનોમીથી રન આપ્યા અને એક પણ વિકેટ લીધી ન હતી.

Moeen Ali: એક રીતે ફાફ ડુ પ્લેસિસનું બલિદાન આપીને ચેન્નાઈ સુપર કિંગ્સે મોઇન અલીને પોતાની સાથે જોડાયેલા રાખવાનું નક્કી કર્યું. પરંતુ આ શરત બેકફાયર લાગતી હતી. જ્યારે તે જાળવી રાખ્યા પછી પણ ટીમને બેચેન કરતો જોવા મળ્યો હતો. લીગની અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં મોઈન અલીની બેટિંગ એવરેજ 17.40 અને સ્ટ્રાઈક રેટ 124.28 છે. આ દરમિયાન તેણે બોલિંગમાં 8.50ની ઈકોનોમીથી રન આપ્યા અને એક પણ વિકેટ લીધી ન હતી.

6 / 7
Mohammed Siraj: RCB એ ભૂતકાળના પ્રદર્શનના આધારે વિરાટ કોહલીની સાથે મોહમ્મદ સિરાજને જાળવી રાખ્યો હતો. પરંતુ IPL 2022 માં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં તે માત્ર 5 વિકેટ જ લેવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 49.20 છે જ્યારે ઈકોનોમી રેટ 10.25 છે.

Mohammed Siraj: RCB એ ભૂતકાળના પ્રદર્શનના આધારે વિરાટ કોહલીની સાથે મોહમ્મદ સિરાજને જાળવી રાખ્યો હતો. પરંતુ IPL 2022 માં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં તે માત્ર 5 વિકેટ જ લેવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 49.20 છે જ્યારે ઈકોનોમી રેટ 10.25 છે.

7 / 7
Axar Patel: દિલ્હી કેપિટલ્સે આ સ્પિન ઓલરાઉન્ડર પર પોતાનો વિશ્વાસ દાખવ્યો હતો. પરંતુ અક્ષરે પોતાની સ્પિન વડે દિલ્હી માટે હજુ સુધી કઇ ખાસ કર્યું નથી. કારણ કે જો તેણે આમ કર્યું હોત તો તેની બોલિંગ એવરેજ 149 ન હોત. (ફોટો: AFP/IPL)

Axar Patel: દિલ્હી કેપિટલ્સે આ સ્પિન ઓલરાઉન્ડર પર પોતાનો વિશ્વાસ દાખવ્યો હતો. પરંતુ અક્ષરે પોતાની સ્પિન વડે દિલ્હી માટે હજુ સુધી કઇ ખાસ કર્યું નથી. કારણ કે જો તેણે આમ કર્યું હોત તો તેની બોલિંગ એવરેજ 149 ન હોત. (ફોટો: AFP/IPL)

Next Photo Gallery