
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે તેની જવાબદારી સંભાળી લીધી છે. તે વર્લ્ડ કપ પહેલા શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં ટીમ સાથે કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આગળ બીસીસીઆઈએ નક્કી કરવું પડશે કે તે તેની સાથે આગળ વધવા માંગે છે કે કોઈ અન્યને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવા માંગે છે. આ સિવાય વીવીએસ લક્ષ્મણે વિઝાગમાં શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી વારી દેવસ્થાનમમાં દર્શન કર્યા હતા.

ભારતીય ટીમ સાથે તેમનો બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી ટીમ સાથે જોડાઈ રહ્યા હોવાના અહેવાલ છે. ટીવી ટુડેના રિપોર્ટ મુજબ દ્રવિડ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં દ્રવિડ મેન્ટર તરીકે જોડાઈ શકે છે. આ ટીમના પૂર્વ મેન્ટર ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.
Published On - 8:20 pm, Sat, 25 November 23