
રણજી ટ્રોફી 2023નું ટાઈટલ સૌરાષ્ટ્રના નામે રહ્યું હતુ. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લઈને રણજી ટ્રોફીની ફાઈનલ રમી અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. રણજી ટ્રોફી જીત્યા બાદ જયદેવ ઉનડકટની પત્નીએ કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

ઉનડકટની પત્ની રિની વ્યવસાયે વકીલ છે. બંનેએ 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી. સગાઈના બે દિવસ પહેલા ઉનડકટે સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીનું ટાઈટલ અપાવ્યું હતું. આ પછી જયદેવે રિની સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

જયદેવ અને રિનીએ ફ્રેબુઆરી 2021માં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નને હવે 3 વર્ષ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર બંન્નેનું બોન્ડિંગ ખુબ સુંદર જોવા મળતું હોય છે. રિની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

2010માં તેણે અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટનશિપ કરી હતી. ઉનડકટે ભારત માટે અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 8 વનડે અને 10 ટી20 મેચ રમી છે. તેણે 2010માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું જેમાં તેને કોઈ વિકેટ મળી ન હતી. 2013માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યા બાદ તેણે કુલ 9 વિકેટ ઝડપી છે. T20માં તેના નામે 14 વિકેટ છે.આઈપીએલમાં કુલ 94 મેચ રમી છે કુલ 91 વિકેટ ઝડપી છે.