
ત્રીજી વનડેમાં કોહલીએ શૂન્ય પર પોતાની વિકેટ ગુમાવી અને વધુ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે હવે ભારતમાં સૌથી વધુ બતક મારનાર સુરેશ રૈના અને હરભજન સિંહની બરાબરી કરી લીધી છે. ત્રણેય બેટ્સમેન 8-8 વખત શૂન્ય પર આઉટ થયા છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળી રહ્યો છે. તે હવે ટીમ ઇન્ડિયામાં વ્હાઇટ બોલ માટે નિયમીત કેપ્ટન છે. વિરાટ કોહલી માટે કેપ્ટનશીપ ગુમાવવા સાથે હવે બેટીંગમાં પણ કંગાળ રમત દર્શાવી રહ્યો છે.