TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Nov 22, 2022 | 9:15 PM
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી20 સીરીઝમાં ભારતે 1-0થી વિજય મેળવ્યો છે. આ સીરીઝ વરસાદને કારણે નિરાશા સાથે ખત્મ થઈ. પણ આ સીરીઝમાં અનેક રેકોર્ડ પણ બન્યા છે.
ભારતીય ટીમના સૂર્યકુમાર યાદવ આ સીરીઝમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યા છે. આ વર્ષે સૂર્યકુમાર સૌથી વધારે 3 વાર પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યા છે. તેમના પછી વિરાટ કોહલીનું નામ આવે છે. જેઓ આ પહેલા વર્ષ 2016માં 2 વાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા. બોલર ભુવનેશ્વર કુમાર પણ આ વર્ષે 2 વાર પ્લેયર ઓફ સીરીઝ જીતી ચૂક્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડમાં સતત સૌથી વધારે ટી20 મેચ જીતનારી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ વર્ષ 2020થી 2022 વચ્ચે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 6 ટી20 મેચ જીતી છે.
આ સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડયા હતા. તેઓ વિરાટ કોહલી પછી ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીતનાર બીજા કેપ્ટન બની ગયા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડની અંતિમ મેચ ટાઈ રહી હતી. આ મેચમાં ટિમ સાઉદી ન્યૂઝીલેન્ડના કેપ્ટન હતા. તે સૌથી વધારે ટાઈ મેચના ભાગ બનનાર ખેલાડી બની ગયા છે. તેમણે સૌથી વધારે 8 ટાઈ મેચ રમી છે.