
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જે વર્ષ 2025ની પ્રથમ મેચ હશે. ફાઈનલની રેસમાં ટકી રહેવા ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે મેચ જીતવી પડશે, નહીં તો ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. પરંતુ સિડની ટેસ્ટ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ નહીં મળે. સિડની ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ ફાઈનલમાં જશે કે નહીં તેનો નિર્ણય ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે રમાનારી 2 ટેસ્ટ મેચની સિરીઝ બાદ થશે.

જો સિડની ટેસ્ટ જીતશે તો ટીમ ઈન્ડિયા WTC ફાઈનલની રેસમાં રહેશે. પરંતુ પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં એક પણ મેચ ન જીતે અને કોઈ પણ સંજોગોમાં એક મેચ હારે, એટલે કે શ્રીલંકા આ સિરીઝ 1-0થી જીતે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે. જો શ્રીલંકા એક પણ મેચ હારશે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. બીજી તરફ જો શ્રીલંકા બંને મેચ જીતી જશે તો ભારત-ઓસ્ટ્રેલિયાને હટાવી WTC ફાઈનલમાં પહોંચી જશે. (All Photo Credit : PTI / GETTY / ESPN)
Published On - 4:42 pm, Mon, 30 December 24