ICC T20 Rankingમાં બાબર આઝમને મોટું નુકશાન, સૂર્યકુમાર યાદવની બાદશાહત કાયમ
હાલમાં આઈસીસી ટી20 રેકિંગમાં મોટા ફેરફાર થયા છે. જે ફેરફારને કારણે પાકિસ્તાનની ક્રિક્રેટ ટીમના કેપ્ટન બાબર આઝમને મોટું નુકશાન થયુ છે. ચાલો જાણીએ નવી આઈસીસી ટી20 રેંકિગમાં કેવા કેવા ફેરફાર થયા છે.
1 / 5
આઈસીસીની અપડેટ થયેલી ટી20 રેંકિગમાં વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કરવાને કારણે બાબર આઝમને મોટું નુકશાન થયુ છે. ચાલો જાણીએ નવી આઈસીસી ટી20 રેંકિગમાં કેવા કેવા ફેરફાર થયા છે.
2 / 5
બાબર આઝમ છેલ્લા અઠવાડિયા સુધી ત્રીજા સ્થાન પર હતા.ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવેન કોનવેના સારા પ્રદર્શનને કારણે તેઓ ત્રીજા સ્થાન પર આવ્યા છે. જેને કારણે 778 પોઈન્ટ સાથે પાકિસ્તાનના કેપ્ટન આઝમ ચોથા સ્થાન પર આવી ગયા છે.
3 / 5
ભારતના સૂર્યકુમાર યાદવ 890 પોઈન્ટ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ભારત તરફથી આ કોઈ પણ ખેલાડીના આઈસીસી રેકિંગમાં શ્રેષ્ઠ પોંઈન્ટ છે. આ પહેલા વિરાટ કોહલી 897 પોઈન્ટ સાથે પહેલા નંબર પર રહ્યા હતા.
4 / 5
યુવા બેટ્સમેન ઈશાન કિશન 10 સ્થાનના ઉછાળા સાથે આ યાદીમાં 33માં સ્થાને પહોંચી ગયા છે. વિરાટ કોહલીને 2 સ્થાનનું નુકશાન થયુ છે , તે આ યાદીમાં 13માં સ્થાને છે.
5 / 5
બોલર્સમાં ટોપ 10ની યાદીમાં ભારતના એકપણ બોલર નથી. આ યાદીમાં શ્રીલંકાના બોલર હસરંગા પ્રથમ સ્થાન પર છે.