
અરવિંદર સિંહે વધુમાં કહ્યું કે, IPL ટ્રેડિંગને લઈને BCCIના નિયમો સ્પષ્ટ છે. પરંતુ આ આઈપીએલ ટીમના અધિકારીએ સીધા જ ખેલાડી અથવા કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો, તે ખોટું છે. વાત કરવી જ હોય તો સામે જ કરી લેત. પરંતુ કોચિંગ સ્ટાફ સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.

જણાવી દઈએ કે અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરતો હોવા છતા મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે વનડે વર્લ્ડ કપ 2023માં કુલ 24 વિકેટ લીધી હતી.