વધારે પૈસા આવે તો ઘમંડ આવી જાય છે, પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના નિવેદનથી મચી ધમાલ

|

Jul 31, 2023 | 8:49 AM

kapil dev statement on team india : વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે નવા પ્રયોગ કરવાના ચક્કરમાં ભારતીય ક્રિકેટ ટીમને બીજી વનડેમાં હારનો સામનો કરવો પડયો હતો. આ હારને કારણે ચારેય તરફથી ભારતીય ટીમ ટ્રોલ થઈ રહી છે. આ બધા વચ્ચે કપિલ દેવના એક નિવેદનેથી ખલબલી મચી છે.

1 / 5
સંન્યાસ બાદ પણ ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિનર કેપ્ટન કપિલ દેવ સતત ચર્ચામાં રહે છે. ક્રિકેટથી જોડાયેલી ઘટનાઓ અને જરુર જણાય ત્યારે ભારતીય ક્રિકેટરોની આલોચના કરવાને કારણે તેઓ ચર્ચામાં રહે છે.

સંન્યાસ બાદ પણ ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિનર કેપ્ટન કપિલ દેવ સતત ચર્ચામાં રહે છે. ક્રિકેટથી જોડાયેલી ઘટનાઓ અને જરુર જણાય ત્યારે ભારતીય ક્રિકેટરોની આલોચના કરવાને કારણે તેઓ ચર્ચામાં રહે છે.

2 / 5
વેસ્ટ ઈન્ડિઝ જેવી નબળી ટીમ સામે ભારતીય ટીમની હાર થતા કપિલ દેવ ભડક્યા હતા. તેમના નિવેદનો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ જેવી નબળી ટીમ સામે ભારતીય ટીમની હાર થતા કપિલ દેવ ભડક્યા હતા. તેમના નિવેદનો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને કોચ રાહુલ દ્રવિડે પોતે પોતાની કારકિર્દીમાં જ્યારે જરૂર પડી ત્યારે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની મદદ લીધી છે. પરંતુ નવી પેઢીમાં આ જોવા મળ્યું નથી. કોઈ પણ ખેલાડી પોતાની સમસ્યાઓ લઈને ગાવસ્કર પાસે નથી ગયો.

સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને કોચ રાહુલ દ્રવિડે પોતે પોતાની કારકિર્દીમાં જ્યારે જરૂર પડી ત્યારે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની મદદ લીધી છે. પરંતુ નવી પેઢીમાં આ જોવા મળ્યું નથી. કોઈ પણ ખેલાડી પોતાની સમસ્યાઓ લઈને ગાવસ્કર પાસે નથી ગયો.

4 / 5
કપિલ દેવે કહ્યું, ' આ ખેલાડીઓની સારી વાત એ છે કે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. નકારાત્મક બાબત એ છે કે તેઓ વિચારે છે કે તેઓ બધું જ જાણે છે.તેઓ વિચારે છે કે 'તમારે કોઈને પૂછવાની જરૂર નથી'.

કપિલ દેવે કહ્યું, ' આ ખેલાડીઓની સારી વાત એ છે કે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. નકારાત્મક બાબત એ છે કે તેઓ વિચારે છે કે તેઓ બધું જ જાણે છે.તેઓ વિચારે છે કે 'તમારે કોઈને પૂછવાની જરૂર નથી'.

5 / 5
તેમણે આગળ કહ્યું, 'ક્યારેક જ્યારે ખૂબ પૈસા હોય છે ત્યારે ઘમંડ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. હું કહીશ કે ઘણા એવા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે. સુનીલ ગાવસ્કર હોય ત્યારે તમે કેમ વાત નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? તેમનામાં એવો કોઈ અહંકાર નથી.

તેમણે આગળ કહ્યું, 'ક્યારેક જ્યારે ખૂબ પૈસા હોય છે ત્યારે ઘમંડ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. હું કહીશ કે ઘણા એવા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે. સુનીલ ગાવસ્કર હોય ત્યારે તમે કેમ વાત નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? તેમનામાં એવો કોઈ અહંકાર નથી.

Published On - 8:25 am, Mon, 31 July 23

Next Photo Gallery