
વર્ષ 2018માં પંજાબ કિંગ્સે 11 કરોડ રૂપિયા ખર્ચીને કેએલ રાહુલને ખરીદ્યો હતો. આ જ સિઝનમાં કેએલએ 14 બોલમાં અડધી સદી ફટકારીને આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. આ પછી તે પંજાબનો કેપ્ટન બન્યો. IPL 2022 પહેલા, તે નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સમાં કેપ્ટન તરીકે જોડાયો હતો.

વર્ષ 2022 કેએલ રાહુલ માટે સારું ન હતુ, તે ટી 20 વર્લ્ડ કપમાં રન બનાવી શક્યો નહિ, અન્ય ફોર્મેટમાં પણ તેનું બેટ ચાલતું ન હતુ. આ જ કરાણ છે કે, 2023ની શરુઆત થઈ તો તેમણે ટી 20 ટીમના વાઈસકેપ્ટનના પદ પરથી દુર કરવામાં આવ્યો હતો. આ વર્ષે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેમણે ટેસ્ટ ના વાઈસકેપ્ટન પદ પરથી દુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર અને વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા છે.રાહુલ અને અથિયાના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના લોકો જ હાજર રહ્યા હતા