Ambati Rayudu એ કર્યો મોટો ખુલાસો ! કહ્યું – BCCI અધ્યક્ષના દીકરાએ બરબાદ કર્યું મારુ કરિયર

|

Jun 16, 2023 | 6:10 PM

દિગ્ગજ ક્રિકેટર Ambati Rayudu સંન્સાસ લઈ ચૂક્યો છે. પણ હવે તે અમેરિકાની ટી20 લીગમાં જોવા મળશે. પણ આઈપીએલ 2023માં ચેમ્પિયન બન્યા બાદ અંબાતી રાયડૂ એ મોટો ધડાકો કર્યો છે. પોતાનું કરિયર બરબાદ કરવા બદલ તેણે એક મોટા વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે.

1 / 5
ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. પણ તે જૂલાઈ મહિનામાં અમેરિકામાં થનારી મેજર લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સને 2023ની આઈપીએલ સિઝનમાં ચેમ્પિયન બનાવીને અંબાતી રાયડૂ એ વિદાય લીધી હતી. હાલ તેની રાજનીતિમાં આવવાની ચર્ચા થઈ રહી છે. તે બધા વચ્ચે રાયડૂના એક નિવેદનને કારણે ખલબલી મચી છે.

ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. પણ તે જૂલાઈ મહિનામાં અમેરિકામાં થનારી મેજર લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ચેન્નઈ સુપર કિંગ્સને 2023ની આઈપીએલ સિઝનમાં ચેમ્પિયન બનાવીને અંબાતી રાયડૂ એ વિદાય લીધી હતી. હાલ તેની રાજનીતિમાં આવવાની ચર્ચા થઈ રહી છે. તે બધા વચ્ચે રાયડૂના એક નિવેદનને કારણે ખલબલી મચી છે.

2 / 5
 રાયડૂ એ આરોપ લગાવ્યો છે કે પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષના દીકરા એ તેનું ક્રિકેટ કરિયર બરબાદ કર્યું. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

રાયડૂ એ આરોપ લગાવ્યો છે કે પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષના દીકરા એ તેનું ક્રિકેટ કરિયર બરબાદ કર્યું. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર પણ ગંભીર આરોપ લગાવ્યો છે.

3 / 5
 અંબાતી રાયડૂ એ TV9 Telugu સાથે વાત કરતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવને કારણે મને લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન નહીં મળ્યું. શિવલાલ યાદવે પોતાના દીકરાનું કરિયર બનાવવા માટે મને બરબાદ કર્યો હતો.

અંબાતી રાયડૂ એ TV9 Telugu સાથે વાત કરતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ શિવલાલ યાદવને કારણે મને લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન નહીં મળ્યું. શિવલાલ યાદવે પોતાના દીકરાનું કરિયર બનાવવા માટે મને બરબાદ કર્યો હતો.

4 / 5
 અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

અંબાતી રાયડૂ એ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓ મારી સાથે વાત પણ નહીં કરતા હતા. બોલવા વાળાને ટીમની બહાર કરવામાં આવ્યા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થયો. એક ક્રિકેટરે સારુ પ્રદર્શન કરવા માટે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જોઈએ. તે સમયે હું ઘણો તણાવમાં હતો. એટલે જ હું હૈદરાબાદ છોડીને આંઘ્રપ્રદેશ આવી ગયો હતો.

5 / 5
વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.

વિવાદોને કારણે અંબાતી રાયડૂ આંધ્ર ક્રિકેટ ટીમની તરફથી રમવા લાગ્યો હતો. ત્યા પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે પણ મતભેદ થતા તેણે ફરી હૈદરાબાદ આવવું પડયું હતું. આ બધા વચ્ચે તેને 2010માં આઈપીએલમાં મુંબઈ તરફથી રમવાની તક મળી. વર્ષ 2019માં બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું , પણ ટીમમાં સ્થાન મળ્યું ના હતું.

Next Photo Gallery