
શાંતાકુમારન શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે થપ્પડની ઘટના બાદ ભજ્જીને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ આ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી, જેણે ભજ્જી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો.

IPLની છઠ્ઠી સિઝનમાં શાંતાકુમારન શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ પછી BCCIએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. શ્રીસંતની સાથે રાજસ્થાન રોયલ્સના સ્પિનર અજીત ચંદિલા અને અંકિત ચવ્હાણનું નામ પણ તેમાં જોવા મળ્યું હતું. તેને થોડા દિવસ કસ્ટડીમાં પણ રહેવું પડ્યું હતું