
5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. 2 મહિના પહેલાથી ભારત અને પાકિસ્તાનની મેચને લઈને વિવાદ શરુ થયો છે. આ મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે.

વર્લ્ડ કપના શેડયૂલ મુજબ 15 ઓક્ટોબર, 2023ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાવાની હતી. પણ આજ દિવસથી નવરાત્રિની શરુઆત થઈ રહી છે.

વર્લ્ડ કપની મેચ અને નવરાત્રિની શરુઆતને કારણે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવામાં મુશ્કેલી થઈ શકે છે. જેથી સુરક્ષા એજન્સીએ આ મેચની તારીખ બદલવા માટે સૂચન કર્યુ હતુ.

મીડિયા રિપોર્ટ અનુસાર, હવે ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ પૂર્વાનિર્ધારિત સ્થાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 ઓક્ટોબરે મેચ રમવા પર હકારાત્મક જવાબ આપ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ અઠવાડિયાના અંત સુધીમાં વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર થઈ જશે.
Published On - 8:44 am, Thu, 3 August 23