BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કેમ કહ્યુ-ભારતનુ પ્રદર્શન સારુ નથી? રોહિત શર્માની કેપ્ટનશિપ પર આપ્યો જવાબ
ભારતીય ટીમ (Indian Cricket Team) ને એશિયા કપ માટે પણ ફાઈનલ રમ્યા વિના બહાર જોવું પડ્યું હતું, જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં પણ હારી ગઈ હતી.
1 / 5
એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમને ફાઈનલ રમ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવતા હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
2 / 5
એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ભારતીય ટીમ માત્ર એક જ મેચ જીતી શકી હતી. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને બોર્ડ પ્રમુખ ગાંગુલીએ સ્વીકાર્યું છે કે મોટી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું સારું પ્રદર્શન ન કરવું એ ચિંતાનો વિષય છે.
3 / 5
જોકે, તાજેતરની મેચોની હાર બાદ પણ ગાંગુલીએ કેપ્ટન રોહિતને ટેકો આપ્યો હતો અને તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું, “રોહિત શર્માની જીતની ટકાવારી 80 ની નજીક છે. ભારત છેલ્લી ત્રણથી ચાર મેચ હારી ચૂક્યું છે પરંતુ તે પહેલા તે 35-40 મેચોમાંથી માત્ર પાંચ કે છ જ હારી છે.
4 / 5
ગાંગુલીએ મોટી ટુર્નામેન્ટમાં નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ આશા વ્યક્ત કરી હતી કે કોચ-કપ્તાનની જોડી કંઈક ઉકેલ શોધી કાઢશે. ગાંગુલીએ કહ્યું, "મને ખાતરી છે કે રોહિત અને રાહુલ દ્રવિડ ચિંતિત હશે કે અમે મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી. તેના પર ચર્ચા કરવામાં આવશે."
5 / 5
એશિયા કપથી લઈને ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ મેચ સુધી ભારતીયો પ્રથમ બેટિંગ કરીને જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચમાં સારો સ્કોર બનાવ્યો, પરંતુ ડેથ ઓવરોમાં ખરાબ બોલિંગને કારણે આ મેચો હારી ગઈ.
Published On - 9:46 pm, Thu, 22 September 22