શ્રીલંકા સામેની વનડેમાં અફઘાનિસ્તાનની થઈ જીત, IND vs AFGની વનડે સિરિઝની તારીખ થઈ નક્કી !

|

Jun 02, 2023 | 8:00 PM

India-Afghanistan ODI Series : અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આજથી વનડે સિરિઝની શરુઆત થઈ છે. આ સાથે જ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સિરિઝને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

1 / 5
શ્રીલંકામાં આજથી 3 મેચની વનડે સિરિઝની શરુઆત થઈ છે. શ્રીલંકાની ટીમે પહેલા બેટિંગ કરીને 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે 19 બોલ પહેલા જ આ ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટથી જીત મેળવી લીધી છે. અફઘાનિસ્તાનની ટીમ આ સિરિઝમાં 1-0થી આગળ છે.

શ્રીલંકામાં આજથી 3 મેચની વનડે સિરિઝની શરુઆત થઈ છે. શ્રીલંકાની ટીમે પહેલા બેટિંગ કરીને 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે 19 બોલ પહેલા જ આ ટાર્ગેટ ચેઝ કરીને 6 વિકેટથી જીત મેળવી લીધી છે. અફઘાનિસ્તાનની ટીમ આ સિરિઝમાં 1-0થી આગળ છે.

2 / 5
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. 7 જૂનથી 11 જૂન વચ્ચે લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રસાકસી ભરેલી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચી છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. 7 જૂનથી 11 જૂન વચ્ચે લંડનના ઓવલમાં ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રસાકસી ભરેલી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચી છે.

3 / 5
આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ બાદ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝની શરુઆત થઈ શકે છે. મળચી માહિતી અનુસાર, ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની આ વનડે સિરિઝ 23 જૂનથી 30 જૂન વચ્ચે રમાશે.

આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ બાદ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝની શરુઆત થઈ શકે છે. મળચી માહિતી અનુસાર, ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની આ વનડે સિરિઝ 23 જૂનથી 30 જૂન વચ્ચે રમાશે.

4 / 5
ભારતીય ક્રિકેટ બોર્ડ આવનારા સમયમાં અફઘાનિસ્તાન-ભારત વચ્ચેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમ અને વનડે સિરિઝના શેડયૂલની જાહેરાત કરી શકે છે. આ વનડે સિરિઝ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ જશે. અફઘાનિસ્તાન પાસે પોતાનું કોઈ સ્ટેડિયમ ના હોવાથી તે ભારતમાં જ વનડે સિરિઝ રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ આવનારા સમયમાં અફઘાનિસ્તાન-ભારત વચ્ચેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમ અને વનડે સિરિઝના શેડયૂલની જાહેરાત કરી શકે છે. આ વનડે સિરિઝ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ જશે. અફઘાનિસ્તાન પાસે પોતાનું કોઈ સ્ટેડિયમ ના હોવાથી તે ભારતમાં જ વનડે સિરિઝ રમશે.

5 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સામેની આ વનડે સિરિઝમાં હાર્દિક પંડયા કેપ્ટનની જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સામેની આ વનડે સિરિઝમાં હાર્દિક પંડયા કેપ્ટનની જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે.

Next Photo Gallery