
ભારતીય ક્રિકેટ બોર્ડ આવનારા સમયમાં અફઘાનિસ્તાન-ભારત વચ્ચેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમ અને વનડે સિરિઝના શેડયૂલની જાહેરાત કરી શકે છે. આ વનડે સિરિઝ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પણ જશે. અફઘાનિસ્તાન પાસે પોતાનું કોઈ સ્ટેડિયમ ના હોવાથી તે ભારતમાં જ વનડે સિરિઝ રમશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન સામેની આ વનડે સિરિઝમાં હાર્દિક પંડયા કેપ્ટનની જવાબદારી સંભાળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળી શકે છે.