TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 06, 2022 | 11:55 PM
આફ્રિકામાં બાળકોની મોતને કારણે બનેલી એક ઘટનાને કારણે ભારતમાં પણ બાળકોના કફ સિરપના સેવન પર સવાલ ઉઠી રહ્યા છે. આપણા કેટલાક ઘરેલૂ ઉપચારોની મદદથી પણ બાળકોની ખાંસી ખત્મ થઈ શકે છે.
મધ - તે ત્વચા, વાળ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવા માટે ફાયદાકારક છે. મધ અને આદુના રસના મિશ્રણના સેવનથી કફ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
હળદર - તેમાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે. તેને દૂધમાં નાંખીને પીવાથી બાળકોને કફની સમસ્યામાંથી રાહત મળે છે.
આદુ - તેમા રહેલ ગુણ ખાંસીને દૂર રાખવામાં મદદ કરે છે. આદુને પાણીમાં નાખીને ઉકાળીને પીવા જોઈએ. તેનાથી કફની સમસ્યા દૂર થાય છે.
બાળકોઠી: કફની સમસ્યાઓ દૂર કરવા માટે તે ભારતમાં વર્ષોથી વાપરવામાં આવે છે.