
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને કહ્યું કે, વહીદા રહેમાને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ વર્ષે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

વહીદા રહેમાનના પતિ કમલજીત પણ તેમની પત્નીની જેમ અભિનયની દુનિયા સાથે જોડાયેલા હતા. પોતાના કરિયરમાં તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. કમલજીતને 'સન ઓફ ઈન્ડિયા' અને 'શગુન'થી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. તેના પતિનું 21 નવેમ્બર 2000ના રોજ અવસાન થયું હતું. આ પછી વહીદા રહેમાન મુંબઈ પાછી આવી અને આજે બાંદ્રામાં પોતાના બંગલામાં રહે છે.