Bollywood News : બોલિવૂડના આ સેલેબ્સે પહેલા લગ્નથી છૂટાછેડા લીધા પછી કર્યા બીજા લગ્ન, આજે તેઓ સફળ રિલેશનનું બની ગયા છે ઉદાહરણ

|

Jul 17, 2022 | 12:39 PM

બોલિવૂડના ઘણા એવા (Bollywood Celebrities) સેલેબ્સ છે, જેમણે બીજા લગ્ન કર્યા પછી પણ સુખી લગ્નજીવનનો દાખલો બેસાડ્યો છે. આ લિસ્ટમાં ઈન્ડસ્ટ્રીના ઘણા પાવર કપલ્સના નામ સામેલ છે.

1 / 6
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ ઈન્ડસ્ટ્રીમાં જ એકબીજાના પ્રેમમાં પડીને લગ્ન કરી ચૂક્યા છે. જેમાંથી ઘણા લગ્ન સફળ અને ઘણા નિષ્ફળ સાબિત થયા. આજે આપણે એવા સફળ લગ્નો વિશે વાત કરીશું જેમણે પોતાના પહેલા સંબંધને છૂટાછેડા આપીને ઈન્ડસ્ટ્રીમાં જ બીજા લગ્ન કર્યા અને તેમના સંબંધો એક ઉદાહરણરૂપ સાબિત થયા. આમાંથી એક નામ છે વિદ્યા બાલન અને તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર. પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ સિદ્ધાર્થે વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા. આજે બંને સાથે ખૂબ જ ખુશ છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ ઈન્ડસ્ટ્રીમાં જ એકબીજાના પ્રેમમાં પડીને લગ્ન કરી ચૂક્યા છે. જેમાંથી ઘણા લગ્ન સફળ અને ઘણા નિષ્ફળ સાબિત થયા. આજે આપણે એવા સફળ લગ્નો વિશે વાત કરીશું જેમણે પોતાના પહેલા સંબંધને છૂટાછેડા આપીને ઈન્ડસ્ટ્રીમાં જ બીજા લગ્ન કર્યા અને તેમના સંબંધો એક ઉદાહરણરૂપ સાબિત થયા. આમાંથી એક નામ છે વિદ્યા બાલન અને તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર. પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ સિદ્ધાર્થે વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા. આજે બંને સાથે ખૂબ જ ખુશ છે.

2 / 6

આ લિસ્ટમાં બોલિવૂડનું વધુ એક પાવર કપલ સામેલ છે, જેનું નામ કરીના અને સૈફ છે. સારા અલી ખાનની માતા અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા બાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી બંને એક સાથે સુખી લગ્ન જીવન માણી રહ્યા છે.

આ લિસ્ટમાં બોલિવૂડનું વધુ એક પાવર કપલ સામેલ છે, જેનું નામ કરીના અને સૈફ છે. સારા અલી ખાનની માતા અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા બાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી બંને એક સાથે સુખી લગ્ન જીવન માણી રહ્યા છે.

3 / 6
અર્જુન કપૂરની માતા મોના કપૂર સાથે લગ્ન કર્યા બાદ બોની કપૂરે તેને છૂટાછેડા આપી દીધા હતા. જે પછી બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા. જો કે શ્રીદેવી હવે આ દુનિયામાં નથી. પરંતુ, બીજા લગ્ન હોવા છતાં, બંનેના સુંદર રિલેશન રહ્યા હતા.

અર્જુન કપૂરની માતા મોના કપૂર સાથે લગ્ન કર્યા બાદ બોની કપૂરે તેને છૂટાછેડા આપી દીધા હતા. જે પછી બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા. જો કે શ્રીદેવી હવે આ દુનિયામાં નથી. પરંતુ, બીજા લગ્ન હોવા છતાં, બંનેના સુંદર રિલેશન રહ્યા હતા.

4 / 6

સંજય દત્ત ઈન્ડસ્ટ્રીના લવર બોય તરીકે પ્રખ્યાત હતા. આમ તો તેની ઘણી ગર્લફ્રેન્ડ રહી હતી. પરંતુ, જ્યારે તેણે તેના તમામ રિલેશન પછી લગ્ન કર્યા, તે પણ ન ચાલ્યા. પછી તેણે તેના પહેલા લગ્નથી છૂટાછેડા લીધા અને માન્યતા સાથે લગ્ન કર્યા અને આજે બંને એક સાથે ખૂબ જ ખુશ છે.

સંજય દત્ત ઈન્ડસ્ટ્રીના લવર બોય તરીકે પ્રખ્યાત હતા. આમ તો તેની ઘણી ગર્લફ્રેન્ડ રહી હતી. પરંતુ, જ્યારે તેણે તેના તમામ રિલેશન પછી લગ્ન કર્યા, તે પણ ન ચાલ્યા. પછી તેણે તેના પહેલા લગ્નથી છૂટાછેડા લીધા અને માન્યતા સાથે લગ્ન કર્યા અને આજે બંને એક સાથે ખૂબ જ ખુશ છે.

5 / 6
ફિલ્મ લેખક જાવેદ અખ્તરે પણ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે. પોતાની પહેલી પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપીને તેણે અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા. જે બાદ બંને આજ સુધી સાથે ખુશ છે.

ફિલ્મ લેખક જાવેદ અખ્તરે પણ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે. પોતાની પહેલી પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપીને તેણે અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા. જે બાદ બંને આજ સુધી સાથે ખુશ છે.

6 / 6
અભિનેતામાંથી રાજનેતા બનેલા રાજ બબ્બરે પણ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નમાં અણબનાવ થતાં તેણે નાદિકા બબ્બરને છૂટાછેડા આપ્યા બાદ સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા. જે પછી તેમનો રિલેશન એક ઉદાહરણ તરીકે ઓળખાય છે.

અભિનેતામાંથી રાજનેતા બનેલા રાજ બબ્બરે પણ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નમાં અણબનાવ થતાં તેણે નાદિકા બબ્બરને છૂટાછેડા આપ્યા બાદ સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા. જે પછી તેમનો રિલેશન એક ઉદાહરણ તરીકે ઓળખાય છે.

Next Photo Gallery