પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરદાર રહ્યું હતું. ( ALL Pic: Instagram)
આ ફિલ્મમાં રામાયણની સ્ટોરી છે. તેમાં ઘણા પાત્રો બતાવવામાં આવ્યા છે. રામાયણમાં એક મહત્વપૂર્ણ પાત્ર શૂર્પણખાનું છે, જેનું નાક લક્ષ્મણે કાપી નાખ્યું હતું. આ પાત્ર આદિપુરુષ ફિલ્મમાં પણ રાખવામાં આવ્યું છે. તેજસ્વિની પંડિતે ફિલ્મમાં શૂર્પણખાનું પાત્ર ભજવ્યું છે.
ફિલ્મની રિલીઝ પહેલા મુખ્ય કલાકારો સિવાય અન્ય તમામ કલાકારો વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. જોકે, રિલીઝ થયા બાદ એ જાણવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં કોણે કયું પાત્ર ભજવ્યું છે.
આદિપુરુષમાં શૂર્પણખા બનેલી તેજસ્વિની પંડિત મરાઠી સિનેમાનું જાણીતું નામ છે. 37 વર્ષની તેજસ્વિની અંગત જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેને બિન્દાસ લાઈફ જીવવી ગમે છે. જો તમે તેજસ્વિનીના ઈન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તમને ખબર પડશે કે તે એકદમ બિન્દાસ હોવાની સાથે સિમ્પલ પણ છે.
તેજસ્વિનીએ વર્ષ 2004માં મરાઠી ફિલ્મ અગા બાઈ અરેચાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેજસ્વિની ઘણી વેબ સિરીઝનો પણ ભાગ રહી ચુકી છે.
તેજસ્વિની પંડિત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. IMDB અનુસાર, તેજસ્વિની પંડિત છેલ્લે ફિલ્મ બામ્બૂમાં જોવા મળી હતી.