
હવે Sunitaની જગ્યાએ પોતાનું નામ SSunita લખ્યું છે.સુનિતાએ બદલાવેલા નામથી ગોવિંદાના ચાહકો હેરાન થયા છે. સોશિયલ મીડિયા પર યુઝર સવાલો પણ કરી રહ્યા છે કે, બંન્ને 38 વર્ષ બાદ કેમ અલગ થઈ રહ્યા છે? કહી શકાય કે,આનો જવાબ હવે ખુદ સુનિતાએ આપી દીધો છે.

સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળથી ગોવિંદાની સરનેમ દુર કર્યા બાદ સુનિતાએ કહ્યું કે, તે આહુજા હતી અને હંમેશા રહેશે. આહુજા સરનેમ દુર કર્યા બાદ છુટાછેડાની અફવા શરુ થઈ છે.

સુનીતાએ મીડિયા એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ગોવિંદાથી અલગ થઈ રહી નથી. તેમણે કહ્યું હું આહુજા છું અને ક્યારેય નહી બદલીશ. ત્યારેજ બદલશે જ્યારે હું આ દુનિયાને છોડીને જઈશ.

મેં મારા નામમાંથી આહુજા કાઢી નાખ્યું છે અને મારા પહેલા નામમાં વધારાનો S ઉમેર્યો છે. મેં આ અંકશાસ્ત્રને કારણે કર્યું છે. મને નામ અને ખ્યાતિ પણ જોઈએ છે. કોણ નથી ઇચ્છતું?ગોવિંદા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં સુનિતાએ કહ્યું, 'અમે એક સુખી પરિવાર છીએ.