TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Jul 30, 2022 | 8:15 PM
ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી શુક્રવારે મોડી સાંજે તીર્થધામ વૃંદાવન પહોંચી હતી. તેમણે ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
શિલ્પા શેટ્ટીની સુરક્ષા માટે પોલીસકર્મીઓને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં ફેન ફોટો ક્લિક કરવા માટે તેની પાસે જતા હતા.
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેણે ભક્તિભાવથી પૂજા કરી.
ઠાકુર બાંકે બિહારી મંદિરના પૂજારીઓએ શિલ્પા શેટ્ટીને દુપટ્ટો અને માળા પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું.
શિલ્પા વૃંદાવનની કુંજની ગલીઓ જોઈને તે હેરાન થઈ ગઈ. તેમના પ્રશંસકોને રાધે-રાધે કહીને શુભેચ્છા પાઠવી હતી.
શિલ્પા શેટ્ટીને જોઈને તેના ફેન્સની ભારે ભીડ મંદિર પરિસરમાં ભેગી થઈ ગઈ હતી. તે લોકો એક્ટ્રેસ સાથે ફોટો પડાવવા માટે ખૂબ જ એક્સાઈટેડ હતા.
બાંકે બિહારી મંદિર પહોંચીને શિલ્પા શેટ્ટીએ રાધે-રાધે કહીને બધાનું અભિવાદન કર્યું. તેમણે વૃંદાવનના અન્ય મંદિરોમાં પણ દર્શન કર્યા હતા.
પહેલીવાર બિહારીજીના દર્શન કરવા પહોંચેલી શિલ્પાએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અહીં આવીને તેને ખૂબ સારું લાગે છે.
શિલ્પાએ કહ્યું કે વૃંદાવન એ જગ્યા છે જ્યાં રાધા કૃષ્ણએ તેમની લીલા રચી હતી. આ પવિત્ર ધરતી પર આવીને તે ધન્ય થઈ ગઈ.