
'રામ તેરી ગંગા મૈલી' પછી રાજીવ કપૂર 'લવર બોય', 'અંગારે', 'જલજલા', 'શુક્રિયા', 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ તેમની ફિલ્મો ચાલી નહીં. આ ફિલ્મો આર.કે. બેનરની નહોતી.

રાજીવ ખૂબ જ ખુશ વ્યક્તિ હતો. તેમની ફિલ્મી કારકિર્દી તેમના ભાઈઓ અને પિતાની જેમ સફળ રહી ન હતી, પરંતુ તેમ છતાં, કોઈને કોઈ કારણસર તેઓ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હતા.