70th National Film Awards: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો 70મો નેશનલ ફિલ્મ એવોર્ડસ, મિથુન દા પણ હશે સામેલ

|

Oct 08, 2024 | 4:07 PM

70મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ આજે એટલે કે 8મી ઓક્ટોબરે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર ચાહકો ઈવેન્ટને લાઈવ જોઈ શકે છે.

1 / 5
આજે મંગળવાર 8 ઓક્ટોબરના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ રાજધાની દિલ્હીમાં યોજાશે. આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વિજેતાઓને સન્માનિત કરશે.

આજે મંગળવાર 8 ઓક્ટોબરના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ રાજધાની દિલ્હીમાં યોજાશે. આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વિજેતાઓને સન્માનિત કરશે.

2 / 5
રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.  આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આ વિજેતાઓને સન્માનિત કરશે. આ સમારોહમાં ફિલ્મ કંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવશે.

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આ વિજેતાઓને સન્માનિત કરશે. આ સમારોહમાં ફિલ્મ કંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવશે.

3 / 5
આ એવોર્ડ સમારોહમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ચાલો જાણો આ એવોર્ડ સમારોહ તમે ક્યાં લાઈવ જોઈ શકશો.

આ એવોર્ડ સમારોહમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ચાલો જાણો આ એવોર્ડ સમારોહ તમે ક્યાં લાઈવ જોઈ શકશો.

4 / 5
70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન ડીડી ન્યુઝ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ બપોરના 4 કલાકથી શરુ થશે. આ એવોર્ડ સમારોહમાં બોલિવુડથી લઈ સાઉથ સહિત અન્ય ભાષાના કલાકારો અને નિર્માતા-નિર્દેશક સામેલ થશે.

70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન ડીડી ન્યુઝ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ બપોરના 4 કલાકથી શરુ થશે. આ એવોર્ડ સમારોહમાં બોલિવુડથી લઈ સાઉથ સહિત અન્ય ભાષાના કલાકારો અને નિર્માતા-નિર્દેશક સામેલ થશે.

5 / 5
બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે આ વાતની જાહેરાત કરી હતી.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે આ વાતની જાહેરાત કરી હતી.

Published On - 4:05 pm, Tue, 8 October 24

Next Photo Gallery