
જ્યારે સોનુ સુદે લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરવાની શરુ કરી તો લોકોને એવું લાગ્યું તે આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે, તેને રાજનીતિમાં આવવું છે.પરંતુ અભિનેતાએ આ વાતને ક્યારે પણ મનમાં લીધી ન હતી. સોનુ સુદ પોતાની આવનારી ફિલ્મ ફતેહનું પ્રમોશન કરી રહ્યો હતો.

આ દરમિયાન તેમણે ફરી એક વખત રાજનીતિમાં સામેલ થવાને લઈ સવાલો કરવામાં આવ્યા હતા. જેના પર અભિનેતાએ કહ્યું મને સીએમ બનવાની પણ ઓફર મળી હતી.જ્યારે મે આના વિશે ના પાડી તો મને કહેવામાં આવ્યું કે, ડિપ્યુટી સીમે બની જા. તે બધા મોટા લોકો હતા. મને રાજ્યસભાની સીટની પણ ઓફર થઈ હતી.

સોનુ સુદે રાજનીતિમાં ન આવવાના કારણનો પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું રાજકારણમાં લોકો 2 કારણે આવે છે. એક તો પૈસા કમાવવા અને બીજું સત્તા માટે અને મારે આ બન્નેમાંથી કોઈની જરુર નથી.

જો મારે લોકોની મદદ કરવી છે, તો હું પહેલાથી જ તેમની મદદ કરી રહ્યો છે. મારે કોઈને પુછવાની જરુર નથી. કોઈ જાતિ, ધર્મ, ભાષા વગર કોઈ ભેદ જોયા વગર હું મદદ કરું છુ. પરંતુ રાજકારણમાં આવ્યા બાદ મારે કોઈને જવાબ આપવો પડશે અને મને ડર છે કે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે.