Photos: ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા બાદ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો રણબીર કપૂર, સાથે જોવા મળ્યો અયાન મુખર્જી

|

Sep 15, 2022 | 7:52 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના ત્રણ ભાગ છે. પહેલો ભાગ 9 સપ્ટેમ્બરે રિલીઝ થયો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

1 / 5
રોકસ્ટાર રણબીર કપૂર અને નિર્દેશક અયાન મુખર્જીએ પવિત્ર સોમનાથ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા'ને  વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મ બનાવવા બદલ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો.

રોકસ્ટાર રણબીર કપૂર અને નિર્દેશક અયાન મુખર્જીએ પવિત્ર સોમનાથ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા'ને વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મ બનાવવા બદલ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો.

2 / 5
બ્રહ્માસ્ત્ર આલિયાના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ પહેલેથી જ દુનિયાભરમાં રેકોર્ડ તોડી રહી છે.

બ્રહ્માસ્ત્ર આલિયાના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ પહેલેથી જ દુનિયાભરમાં રેકોર્ડ તોડી રહી છે.

3 / 5
આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ છે, જે ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ છે, જે ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

4 / 5
બ્રહ્માસ્ત્રની સફળતા બાદ રણબીર કપૂરે કહ્યું, “હું ખરેખર દરેક ચાહકો અને દર્શકોને હું દિલથી આભાર કહું છું. મને લાગે છે કે દર્શકોને થિયેટરોમાં પાછા લાવવા માટે આ એક શાનદાર ફિલ્મ છે અને આગળ કહ્યું પ્યાર સે બડા કોઈ બ્રહ્માસ્ત્ર નહી હોતા.

બ્રહ્માસ્ત્રની સફળતા બાદ રણબીર કપૂરે કહ્યું, “હું ખરેખર દરેક ચાહકો અને દર્શકોને હું દિલથી આભાર કહું છું. મને લાગે છે કે દર્શકોને થિયેટરોમાં પાછા લાવવા માટે આ એક શાનદાર ફિલ્મ છે અને આગળ કહ્યું પ્યાર સે બડા કોઈ બ્રહ્માસ્ત્ર નહી હોતા.

5 / 5
આ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નિર્દેશક અયાન મુખર્જી ઉજ્જૈન પણ ગયા હતા. પરંતુ તેઓ મહાકાલના દર્શન કરે તે પહેલા જ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચે તે પહેલા બજરંગ દળના કાર્યકર્તાઓ મંદિરના દ્વાર પર પહોંચી ગયા હતા. તેઓએ શ્રી રામના નારા લગાવતા હંગામો શરૂ કર્યો.

આ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નિર્દેશક અયાન મુખર્જી ઉજ્જૈન પણ ગયા હતા. પરંતુ તેઓ મહાકાલના દર્શન કરે તે પહેલા જ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચે તે પહેલા બજરંગ દળના કાર્યકર્તાઓ મંદિરના દ્વાર પર પહોંચી ગયા હતા. તેઓએ શ્રી રામના નારા લગાવતા હંગામો શરૂ કર્યો.

Next Photo Gallery