
થોડા સમય પહેલા વિષ્ણુ વિશાલે એક ટ્વીટ શેર કરીને ખુલાસો કર્યો હતો કે તેમના ઘરમાં પણ પૂરનું પાણી ઘૂસી ગયું છે અને તેના કારણે તેમણે ઘરમાં વીજળી અને કનેક્ટિવિટી ન હોવાની વાત જણાવીને પોતાની સમસ્યા જણાવી હતી. સરકાર પાસે મદદ માંગતી વખતે, તેમણે તેમના વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો અને તે કેવી રીતે અટવાયા તે પણ જણાવ્યું હતું.

તસવીરો શેર કરતા વિશાલે લખ્યું, 'અમારા જેવા લોકો જે ફસાયેલા છે તેમની મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર. કારાપક્કમમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ બોટ પહેલેથી જ કાર્યરત છે. આવા મુશ્કેલ સમયમાં TN સરકાર દ્વારા સેવાનું કાર્ય. તમામ વહીવટી લોકો જે સતત કામ કરી રહ્યા છે. આભાર.'